IT વિભાગમાં વધારાની 20751 પદો ભરવામાં આવશે

આ બેઠક બાદ નાણા પ્રધાન પી ચિદમ્બરમે આ બાબતની માહિતી આપતા જણાવ્યું કે તેમાંથી 1349 વધારાના પદ ભારતીય રાજસ્વ સેવા (આઇઆરએસ) કેડરના હશે. જ્યારે બાકીના 19,402 પદો બિન આઇઆરએસ કેડરના હશે. આ દ્વારા સરકારના રાજસ્વમાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે.
નાણા મંત્રીએ એમ પણ જણાવ્યું કે નવા પદો અને કેટલાક વર્તમાન પદો ઉભા કરવાને કારણે સરકાર પર વાર્ષિક રૂપિયા 449.71 કરોડનો વધારાનો બોજો પડશે. તેમણે એમ પણ જણાવ્યું કે નવા પદોની રચના અને તે પદે ભરાયા બાદ વિભાગની વાર્ષિક આવકમાં અંદાજે રૂપિયા 25,000 કરોડનો વધારો થવાનો અંદાજ આંકવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
