આ 4 કારણોથી લોન પૂરી થયા બાદ NOC મેળવવું જરૂરી

જો આપે આપની હોમ લોન, કાર લોન, પર્સનલ લોન પૂરે પૂરી ચૂકવી દીધો હોય તો આપે એક કામ હજી પણ કરવાનું બાકી છે. આપ જ્યારે પણ કોઇ પણ લોન સંપૂર્ણપણે ચૂકવો ત્યારે એક ખાસ બાબત કરવાનું ચૂકવું જોઇએ નહીં કે આપે બેંક પાસેથી કે ધિરાણ આપનારી સંસ્થા પાસેથે એનઓસી મેળવી લેવાનું છે.

આ એનઓસી (NOC)માં એવું લખાણ હોવું જરૂરી છે કે આપે આપની લોન સંપૂર્ણ રીતે ભરપાઇ કરી લીધી છે. હવે આપના લોન એકાઉન્ટમાં કોઇ બાકી લેણા રહેતા નથી.

આપે NOC સર્ટિફિકેટ શા માટે લેવું જોઇએ તે માટેના ચાર મહત્વનાં કારણો અહીં આપ્યા છે...

1 બેંકોની કામગીરી અનિશ્ચિત છે

1 બેંકોની કામગીરી અનિશ્ચિત છે


કેટલીક વાર બેંકો થોડી અનિર્ણયિત હોય છે. જેના કારણે બેંકોના પગલાંનો ક્યાસ લગાવવો અઘરો બને છે. જેના કારણે ક્યારેક એવું બને છે કે કોઇ વ્યક્તિને બેંક લોનની ભરપાઇ કર્યા બાદ પણ પત્ર મળે છે કે આપની લોન ભરપાઇ કરો. આવું લોન ભરપાઇ થઇ ગયાના વર્ષો બાદ પણ બની શકે છે. આ કારણે બેંક પાસેથી NOC લીધેલું સારું.

2. સિબિલ રિપોર્ટ

2. સિબિલ રિપોર્ટ


કેટલીકવાર અજાણતાથી કે ખોટી રીતે સિબિલ રિપોર્ટ ફાઇલ થાય છે. જેના કારણે લોન સંબંધિત આપના સિબિલ રેટિંગ્સ પર અસર પડે છે. આવા સમયે બેંક લોન પૂરી થયે આપે એનઓસી લીધું હોય તે તે મદદે આવી શકે છે.

3. કાયદેસરની પ્રક્રિયા

3. કાયદેસરની પ્રક્રિયા


કેટલાક કેસમાં ગ્રાહકો લોન ભરપાઇ થઇ ગયા બાદ પણ કાયદેસરની કાર્યવાહીનો ભોગ બને છે. આવા સમયે એનઓસી લીધું હોય તો આપને મદદ મળી રહે છે.

4. સરનામુ બદલાવાની જાણ

4. સરનામુ બદલાવાની જાણ


આપણે હંમેશા બેંકને દોષ આપી શકીએ નહી. ઘણીવાર ગ્રાહકો પોતાનું ઘર બદલે ત્યારે એડ્રેસ બદલાયું હોવાની જાણ બેંકને કરાતી નહીં હોવાથી પણ ક્યારેક ભૂલથી આવી જાય છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X