લોન લેતા પહેલા આ 6 બાબતો ચકાસો
આપ કોઇ પણ પ્રકારની લોન લેવાના હોવ તે પહેલા આપે કેટલીક બાબતો ચકાસવી જરૂરી છે. આમ કરવાથી બે ફાયદા થાય છે. એક આપ કોઇ પ્રકારનું નુકસાન નહીં ભોગવો અને જો આપની લોન રદ થાય તો આપ નિરાશ નહીં થાવ. આવી 6 બાબતો કઇ છે તેની વિગતો અહીં આપવામાં આવી છે...

જરૂર હોય તો જ લોન લો
આપ ઇએમઆઇ ભરી શકો છો માત્ર તેટલા કારણથી લોન લેશો નહીં. આપને સેલરી ઉપરાંતની આવક હોય તો પણ આપે લોન જરૂર હોય તો જ લેવી જોઇએ. કારણ કે લોન લેવાથી આપે પ્રોસેસિંગ ફી અને ઇન્ટરેસ્ટ રેટ તરીકે વધારે નાણા ચૂકવવા પડે છે. જેના કારણે લોન મોંધી બને છે. ખાસ કરીને પર્સનલ લોન વધારે મોંઘી બને છે. જ્યારે આપની પાસે અન્ય કોઇ વિકલ્પ ના રહે ત્યારે જ આપે લોન લેવી જોઇએ.

સિબિલ સ્કોર ચેક કરો
લોન માટે અરજી કરતા પહેલા સિબિલ સ્કોર ચેક કરો. આમ કરવાથી આપની લોનની અરજી નકારવામાં આવે અથવા ઓછી રકમની લોન મંજુર થશે તો આપ નિરાશ થશો નહીં.

વ્યાજના દરોની સરખામણી કરો
આપ લોન લેતા પહેલા ઓનલાઇન પોર્ટલ પર વિવિધ બેંકો દ્વારા ઓફર કરવામાં આવતા લોનના દરોની તુલના કરો.

સર્વિસ લોન ચૂકવવાની ક્ષમતા ચકાસો
આપ લોન લેતા પહેલા ઇએમઆઇ એટલે કે લોનનો હપ્તો ભરવાની ક્ષમતા ચકાસી જુઓ. કેટલીકવાર અન્ય લોનને કારણે આપ ઇએમઆઇ ચૂકવવા સક્ષમ બનતા નથી.

લોનનો પીરિયડ અને કેશ ફ્લો ચકાસો
આપની પાસેના કેશ ફ્લોના આધારે આપ લોનનો સમયગાળો નક્કી કરી શકો છો. જો આપ લાંબા સમય માટે લોન લેશો તો આપનો હપ્તો ઓછો આવશે.

પ્રોસેસિંગ ચાર્જીસ ચકાસો
આપ જ્યારે લોન લેવા માંગો ત્યારે લોન લેતા સમયે બેંકો દ્વારા લગાવવામાં આવતા પ્રોસેસિંગ અને અન્ય ચાર્જીસની પણ ચકાસણી કરો. વ્યાજની સાથે આ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
