ATM New Rules : આડેધડ એટીએમનો ઉપયોગ કરી રહ્યાં છો તો સાવધાન, આજથી બદલાઈ ગયા છે આ નિયમો
ATM New Rules : આજથી એટલે કે 1 મે ભારતમાં એટીએમ વ્યવહારો સાથે સંબંધિત નવા નિયમો અમલમાં આવ્યા છે. આ નિયમો આજે જ જાણી લેવા જરૂરી છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરાયેલ આ નવા નિયમો એટીએમ દ્વારા કરવામાં આવતા માસિક વ્યવહારોની સંખ્યા અને મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા વટાવ્યા બાદ લાગુ પડતા ચાર્જને અસર કરશે.

RBIની નવી ગાઈડલાઈન્સ અનુસાર, ગ્રાહકો દર મહિને તેમની બેન્કના એટીએમમાંથી પાંચ મફત ટ્રાન્ઝેક્શન કરી શકે છે, જેમાં નાણાકીય (જેમ કે રોકડ ઉપાડ) અને બિન-નાણાકીય (જેમ કે બેલેન્સ ચેક અથવા મિની સ્ટેટમેન્ટ) વ્યવહારોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત અન્ય બેન્કના એટીએમમાંથી પણ મફત ટ્રાન્ઝેક્શનની સુવિધા ઉપલબ્ધ છે, પરંતુ આ મર્યાદા શહેરના પ્રકાર પર આધાર રાખે છે. મેટ્રો શહેરોમાં અન્ય બેન્કના એટીએમમાંથી ત્રણ મફત ટ્રાન્ઝેક્શન અને નોન-મેટ્રો વિસ્તારો: અન્ય બેન્કના એટીએમમાંથી પાંચ મફત ટ્રાન્ઝેક્શન મળશે.
જો ગ્રાહકો આ મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદા વટાવે છે તો બેન્ક તેમની પાસેથી વધુમાં વધુ 23 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલી શકે છે. આ નવો ચાર્જ 1 મે 2025થી લાગુ થઈ ગયો છે, જે અગાઉ 21 રૂપિયા હતો.
આ ચાર્જ નાણાકીય વ્યવહારો (જેમ કે રોકડ ઉપાડ) અને બિન-નાણાકીય વ્યવહારો (જેમ કે બેલેન્સ ચેક) બંને પર લાગુ પડશે. આ ચાર્જ કેશ રિસાયક્લર મશીન (CRM) પર પણ લાગુ થશે, પરંતુ રોકડ જમા કરવા પર કોઈ ચાર્જ લાગશે નહીં.
ઘણી બેન્કો જેમ કે HDFC, પંજાબ નેશનલ બેન્ક અને ઈન્ડસઈન્ડ બેન્કે તેમના ગ્રાહકોને આ સુધારેલા ચાર્જ વિશે પહેલેથી જ જાણકારી આપી દીધી છે. HDFC બેન્કે જણાવ્યું છે કે 2 મે 2025થી મફત મર્યાદા વટાવતા વધારાના ટ્રાન્ઝેક્શન માટે 23 રૂપિયા લાગુ કરનો ચાર્જ લેવામાં આવશે, જે અગાઉ 21 રૂપિયા હતો.
આ નવા નિયમોના કારણે ગ્રાહકોએ તેમના એટીએમ વ્યવહારોનું ધ્યાન રાખવું જોઈએ, ખાસ કરીને જો તેઓ વારંવાર અન્ય બેન્કના એટીએમનો ઉપયોગ કરે છે. મફત ટ્રાન્ઝેક્શનની મર્યાદાનું પાલન કરવાથી ગ્રાહકો વધારાના ચાર્જથી બચી શકે છે.
આ ઉપરાંત, ડિજિટલ બેન્કિંગ વિકલ્પો જેમ કે ઓનલાઈન બેન્કિંગ અથવા UPIનો ઉપયોગ કરવાથી એટીએમ પર નિર્ભરતા ઘટાડી શકાય છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
