મોટી કમાણી કરવા માટે આ 5 શેરો પર લગાવો દાવ, મળશે આટલા ગણુ વળતર
શેરબજારમાં અસ્થિરતા યથાવત છે. જે દરમિયાન બ્રોકરેજ હાઉસ બેન્કિંગ શેરોમાં તેજી ધરાવે છે. સારા બિઝનેસ આઉટલૂકને કારણે બ્રોકરેજ હાઉસ કેટલાક શેરોમાં ખરીદી કરવાની સલાહ આપી રહ્યા છે.
શેરબજારમાં અસ્થિરતા યથાવત છે. જે દરમિયાન બ્રોકરેજ હાઉસ બેન્કિંગ શેરોમાં તેજી ધરાવે છે. સારા બિઝનેસ આઉટલૂકને કારણે બ્રોકરેજ હાઉસ કેટલાક શેરોમાં ખરીદી કરવાની સલાહ આપી રહ્યા છે. આ શેરો વર્તમાન ભાવથી 34 ટકા સુધીનું વળતર આપી શકે છે. તો ચાલો આ શેરો પર એક નજર કરીએ...

ICICI પ્રોડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ
ICICI સિક્યોરિટીઝે ICICI પ્રોડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સના સ્ટોક પર ખરીદીની સલાહ આપી છે. એક શેરની લક્ષ્ય કિંમત 720 રૂપિયા છે. 18 એપ્રીલ, 2022નારોજ શેરની કિંમત 545 રૂપિયા હતી. આ રીતે રોકાણકારો પ્રતિ શેર 175 રૂપિયા સુધીનું વળતર મેળવી શકે છે.

એપોલો ટાયર્સ લિમિટેડ
મોતીલાલ ઓસવાલે એપોલો ટાયર્સ લિમિટેડના સ્ટોક પર ખરીદીની સલાહ આપી છે. શેર દીઠ લક્ષ્ય ભાવ રૂપિયા 240 છે. 18 એપ્રીલ, 2022ના રોજ શેરની કિંમત 190રૂપિયા હતી. રોકાણકારો પ્રતિ શેર રૂપિયા 50 સુધીનું વળતર મેળવી શકે છે.

અશોક લેલેન્ડ લિમિટેડ
મોતીલાલ ઓસવાલે અશોક લેલેન્ડ લિમિટેડના શેરમાં ખરીદીની સલાહ આપી છે. 18 એપ્રીલ, 2022ના રોજ શેર રૂપિયા 127 પર બંધ થયો હતો. તેના શેરની લક્ષ્યકિંમત રૂપિયા 150 છે. રોકાણકારોને શેર દીઠ રૂપિયા 23નું વળતર મળી શકે છે.

એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ
મોતીલાલ ઓસવાલે એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરમાં ખરીદીની સલાહ પણ આપી છે. 18 એપ્રીલ, 2022 રૂપિયા 155ના ભાવે બંધ થયેલા આ સ્ટોકની લક્ષ્યકિંમત રૂપિયા 209 છે. આ રીતે રોકાણકારોને પ્રતિ શેર 54 રૂપિયાનું વળતર મળી શકે છે.

હીરો મોટોકોર્પ લિમિટેડ
મોતીલાલ ઓસવાલે હીરો મોટોકોર્પ લિમિટેડના શેરમાં ખરીદીની સલાહ આપી છે. 18 એપ્રીલ, 2022 રૂપિયા 2,294 પર બંધ આ શેરની લક્ષ્ય કિંમત રૂપિયા 2775 છે.એટલે કે આમાં તમને 481 રૂપિયા સુધીનો ફાયદો મળી શકે છે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?







Click it and Unblock the Notifications
