નોકરિયાત લોકોને ઝાટકો, PF ના 8.65% વ્યાજ પર સંકટ
આ સમાચાર નોકરી કરનારાઓ માટે એક ઝાટકો કરતાં ઓછા નથી. નાણામંત્રાલયે ઇપીએફઓ પાસેથી પ્રોવિડન્ટ ફંડના વ્યાજ દર વિશે જવાબ માંગ્યો છે.
આ સમાચાર નોકરી કરનારાઓ માટે એક ઝાટકો કરતાં ઓછા નથી. નાણામંત્રાલયે ઇપીએફઓ પાસેથી પ્રોવિડન્ટ ફંડના વ્યાજ દર વિશે જવાબ માંગ્યો છે. નાણામંત્રાલયે ઇપીએફઓને 2018-19ના નાણાકીય વર્ષ માટે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) દ્વારા નક્કી કરાયેલા વ્યાજના દર 8.65 ટકાને લઈને પ્રશ્ન કર્યો છે.
આ પણ વાંચો: ઘર ખરીદનારાઓ માટે મોટી ખુશખબર, RBI એ બેંકોને આપ્યો નિર્દેશ

નોકરિયાત લોકોને ઝાટકો
નાણામંત્રાલયે પીએફના વ્યાજ દર વિશે ઇપીએફઓને પ્રશ્ન કર્યો છે. મંત્રાલયે 8.65% વ્યાજ આપવાની બાબતમાં ઇપીએફઓ પાસેથી સ્પષ્ટતા માંગી છે, અને મંત્રાલયે પૂછ્યું છે કે ઇપીએફઓ પાસે પૂરતું ફંડ છે કે તે 8.65% વ્યાજ આપી શકે. મંત્રાલયે પૂછ્યું છે કે શું છેલ્લા નાણાકીય વર્ષ માટે નિયત વ્યાજને ચૂકવવા માટે ઇપીએફઓ પાસે સરપ્લસ છે.

સરકાર પર જવાબદારી
હકીકતમાં, નુકસાનની સ્થિતિમાં ઇપીએફઓ ગ્રાહકોને ચુકવણીની જવાબદારી સરકાર પર હોય છે, આવામાં ફંડને લઈને ખાસ સાવધાન રહેવું જરૂરી છે. સરકાર આવનારા સમયમાં પીએફ શેરધારકોને કોઇ પણ પ્રકારનું નુકશાન થાય એવું ઇચ્છતી નથી, તેથી મંત્રાલયે ઇપીએફઓ પાસે વ્યાજ દર વિશે જવાબ માંગ્યો છે.

વ્યાજના દરમાં કેટલો વધારો થયો
તમને જણાવી દઈએ કે ઇપીએફઓએ પીએફ પર વ્યાજના દરમાં 0.10 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. ઇપીએફઓના નિર્ણય પછી, વ્યાજના દર હવે 8.65 ટકા છે. 2017-18ના નાણાકીય વર્ષમાં ઇપીએફઓએ 8.55 ટકા વ્યાજદર આપ્યો હતો. વર્ષ 2017-18 માં, ઇપીએફઓએ પાંચ વર્ષમાં સૌથી ઓછો 8.55 ટકાના દરે વ્યાજદર ઉપલબ્ધ કરાવ્યો હતો.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
