Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

2000 રૂપિયાની નોટ અંગે આવ્યું મોટું અપડેટ, RBI ગવર્નરે આપ્યું નિવેદન

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ 2000 રૂપિયાની નોટને પરત ખેંચ્યા બાદ નિર્ણયને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, 2000 રૂપિયાની નોટ પરત ખેંચવાથી અર્થવ્યવસ્થા પર કોઇ નકારાત્મ પ્રભાવ થયો નથી.

પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં આરબીઆઈ ગવર્નરે જણાવ્યું હતું કે, હું સ્પષ્ટપણે કહી શકું છું કે, 2000 રૂપિયાની નોટ પાછી ખેંચવાથી અર્થવ્યવસ્થા પર કોઈ નકારાત્મક અસર થઈ નથી. આનાથી ચોક્કસપણે કેટલીક અનિશ્ચિતતાઓ આવી છે, જેનો ભારતીય અર્થતંત્રને સામનો કરવો પડશે.

RBI Governor

શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, અમારી સામે બે-ત્રણ પડકારો હતા, પહેલો પડકાર આંતરરાષ્ટ્રીય અનિશ્ચિતતાનો હતો, બીજો પડકાર હતો અલ નીનોની આગાહી જે મુખ્યત્વે હવામાન સાથે સંબંધિત હતી. આ સાથે રિઝર્વ બેંકે ઘણા મોટા પગલા લીધા હતા, જેથી બેંક દરોને યોગ્ય રીતે નિયંત્રિત કરી શકાય અને ફુગાવાનો દર 5 ટકાની આસપાસ જાળવી શકાય.

ઉલ્લેખનીય છે કે, 19 મેના રોજ રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. જોકે, આ નોટો હજુ પણ લીગલ ટેન્ડર છે, લોકો તેનો ઉપયોગ વ્યવહારમાં કરી શકે છે.

લોકો આ નોટને નજીકની બેંક શાખામાં જમા કરાવી શકે છે, તેને બીજી નોટ બદલાવી શકે છે. વધુમાં વધુ 10 નોટો બદલી કે જમા કરાવી શકાય છે. તેને કન્વર્ટ કરવા અથવા જમા કરાવવા માટે કોઈ નિશ્ચિત મર્યાદા નથી, તે ગમે તેટલી વખત કરી શકાય છે. અત્રે નોંધનીય છે કે, 2000 રૂપિયાની નોટ નોટબંધી બાદ જ બહાર પાડવામાં આવી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X