બીએસએનએલે ઘટાડ્યા રોમિંગ દર, ઇનકમિંગ કોલ ફ્રી

બીએસએનએલે રોમિંગમાં ઇનકમિંગ કોલ ફ્રી કરી દિધા છે. આ સાથે-સાથે રોમિંગ દરમિયાન બીજા સ્થળે કોલ કરવા માટે માટે દર ઘટાડી દિધા છે. આ બધા ઉપરાંત રોમિંગ દરમિયાન એસએમએસની સુવિધા પર પણ દર ઘટાડ્યા છે. આ માટે કંપનીએ બે વિશેષ ટેરિફ વાઉચર રજૂ કર્યા છે. રોમિંગ દરમિયાન ફ્રી ઇનકમિંગ કોલ અને સસ્તી દર પર અન્ય સેવા લેવા માટે ગ્રાહકે 5 રૂપિયા પ્રતિ દિવસ કે પછી 30 દિવસ માટે 69 રૂપિયા ચૂકવવા પડશે. આ રાશિ ચૂકવ્યા બાદ જ ગ્રાહક આ સેવાનો લાભ લઇ શકશે.
બીએસએનએલની આ યોજનાને જોઇએ તો રોમિંગ દરમિયાન ઇનકમિંગ ફ્રી અને આઉટગોઇંગ કોલ અને નેશનલ કોલ 1.5 પૈસા પ્રતિ સેકેન્ડ પર કરી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં ખાનગી ટેલિકોમ કંપની આઇડિયા અને એરટેલે આ પ્રકારના પગલાં ભર્યા હતા. પ્રતિસ્પર્ધાના જમાનામાં ખાનગી કંપનીઓની આગળ બીએસએનએલ ક્યાંય પાછળ રહી ન જાય. પોતાને ફરીથી મેદાનમાં ઉતરવા માટે બીએસએનએલે ફ્રી રોમિંગની યોજનાની શરૂઆત કરી છે.












Click it and Unblock the Notifications
