Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

બીએસએનએલે ઘટાડ્યા રોમિંગ દર, ઇનકમિંગ કોલ ફ્રી

bsnl-logo
નવી દિલ્હી, 12 જુલાઇ: ખરાબ હાલત અને નુકસાનનો માર સહન કરી રહેલી સરકારી દૂરસંચાર કંપની બીએસએનએલે પોતાના રોમિંગ દરમાં કાપ મૂક્યો છે. સાર્વજનિક ક્ષેત્રની ટેલિકોમ કંપની બીએસએનએલે પોતાના નેશનલ રોમિંગ માટે એક વિશેષ યોજના રજૂ કરી છે. બીએસએનએલની આ યોજના બાદ દેશમાં રોમિંગ ચાર્જીસ ઘટી જશે. બીએસએનએલના ગ્રાહકો આ યોજના બાદ દેશમાં કોઇપણ રોમિંગ દરમિયાન ઇનકમિંગ કોલ માટે કોઇ ચાર્જ ચૂકવવો પડશે નહી.

બીએસએનએલે રોમિંગમાં ઇનકમિંગ કોલ ફ્રી કરી દિધા છે. આ સાથે-સાથે રોમિંગ દરમિયાન બીજા સ્થળે કોલ કરવા માટે માટે દર ઘટાડી દિધા છે. આ બધા ઉપરાંત રોમિંગ દરમિયાન એસએમએસની સુવિધા પર પણ દર ઘટાડ્યા છે. આ માટે કંપનીએ બે વિશેષ ટેરિફ વાઉચર રજૂ કર્યા છે. રોમિંગ દરમિયાન ફ્રી ઇનકમિંગ કોલ અને સસ્તી દર પર અન્ય સેવા લેવા માટે ગ્રાહકે 5 રૂપિયા પ્રતિ દિવસ કે પછી 30 દિવસ માટે 69 રૂપિયા ચૂકવવા પડશે. આ રાશિ ચૂકવ્યા બાદ જ ગ્રાહક આ સેવાનો લાભ લઇ શકશે.

બીએસએનએલની આ યોજનાને જોઇએ તો રોમિંગ દરમિયાન ઇનકમિંગ ફ્રી અને આઉટગોઇંગ કોલ અને નેશનલ કોલ 1.5 પૈસા પ્રતિ સેકેન્ડ પર કરી શકાશે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાં ખાનગી ટેલિકોમ કંપની આઇડિયા અને એરટેલે આ પ્રકારના પગલાં ભર્યા હતા. પ્રતિસ્પર્ધાના જમાનામાં ખાનગી કંપનીઓની આગળ બીએસએનએલ ક્યાંય પાછળ રહી ન જાય. પોતાને ફરીથી મેદાનમાં ઉતરવા માટે બીએસએનએલે ફ્રી રોમિંગની યોજનાની શરૂઆત કરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X