Budget 2019: ખેડૂતો અને મધ્યમ વર્ગ માટે થઇ શકે છે મોટી જાહેરાત

નરેન્દ્ર મોદી સરકાર 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરશે. એવી ધારણા છે કે આ બજેટ ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકોને કંઈક રાહત મળશે.

નરેન્દ્ર મોદી સરકાર 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરશે. એવી ધારણા છે કે આ બજેટ ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકોને કંઈક રાહત મળશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આવકવેરા માટેની મુક્તિ મર્યાદા, ગરીબો માટે લઘુત્તમ સામાન્ય યોજના અને ખેડૂતોને સહાય પેકેજ સહિત, ઘણાં પ્રકારની જાહેરની ઘોષણાઓ કરવામાં આવી શકે છે.

જણાવી દઈએ કે આગામી બજેટ સત્રમાં, લેખાનુદાનના ફક્ત ચાર મહિના મંજૂર કરવામાં આવશે. જો કે ચૂંટણી પછી નવી સરકાર સત્તામાં આવશે, અને તે સંપૂર્ણ બજેટ રજૂ કરશે.

આ પણ વાંચો: Budget 2019: સવર્ણ અનામતે જગાડી ટેક્સપેયર્સને આશા, શું મળશે આ ભેટ

નવી સરકારની રચના મેં અંત સુધીમાં થઇ શકે છે

નવી સરકારની રચના મેં અંત સુધીમાં થઇ શકે છે

જણાવી દઈએ કે બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થઈને 13 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેવાની ધારણા છે. એપ્રિલ, મેમાં સામાન્ય ચૂંટણીઓ થવાની છે. નવી સરકારની રચના મેના અંત સુધીમાં થઇ શકે છે. સરકારે ચાલુ નાણાકીય વર્ષ માટે રાજકોષીય નુક્શાનનું બજેટ અંદાજને જીડીપીના 3.3 ટકા રાખ્યો છે.

એવું માનવામાં આવે છે કે અપ્રત્યક્ષ કર વસૂલી અનુમાન અનુરૂપ નહિ થવા પર અને ડિસઇન્વેસ્ટમેન્ટ લક્ષ્ય પૂર્ણ નહિ થવા પર નુકશાન લક્ષ્ય કરતાં વધુ રહી શકે છે.

2019 નું બજેટ ખેડૂત કેન્દ્રિત હોઈ શકે છે

2019 નું બજેટ ખેડૂત કેન્દ્રિત હોઈ શકે છે

જણાવી દઈએ કે તાજેતરની વિધાનસભાની ચૂંટણીઓનું પરિણામ ગ્રામીણ કટોકટીના મુખ્ય દબાણ બિંદુ તરીકે ઉભરી આવ્યું છે. 6 રાજ્યોમાં ચૂંટણીઓ અને આગામી લોકસભાની ચૂંટણીઓને જોતાં, 2019 નું બજેટ ખેડૂતો-કેન્દ્રિત બજેટ હોઈ શકે છે.

જોકે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર બજેટમાં ખેડૂતો માટે આવક સહાય કાર્યક્રમની જાહેરાત કરી શકે છે. આ ઉપરાંત નીચા વ્યાજના દરે એગ્રી ક્રેડિટ ફ્લોમાં વધારો જેવા પગલાં પણ શક્ય છે.

ટેક્સ ડિડક્શનની મર્યાદા વધારી શકાય છે

ટેક્સ ડિડક્શનની મર્યાદા વધારી શકાય છે

મધ્યમ વર્ગના લોકોને જાણીને ખુશી થશે કે આ બજેટમાં તેમની માટે કેટલાક રાહત નિર્ણયો લેવાની અપેક્ષા છે. ખાસ કરીને સેલેરીડ ટેક્સપેયર્સ માટે ઇનકમ ટેક્સમાંથી મુક્તિની આવક મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવે. તેના સાથે ઇનકમ ટેક્સ અધિનિયમની કલમ 80 સી હેઠળ ટેક્સ કપાતની મર્યાદા 1.5 લાખથી વધારીને 2.5 લાખ રૂપિયા કરી શકાય છે.

આયુષ્માન ભારત માટે વધુ ફાળવણી માટે દરખાસ્ત

આયુષ્માન ભારત માટે વધુ ફાળવણી માટે દરખાસ્ત

એવું જાણવા મળ્યું છે કે હેલ્થકેર સેક્ટરમાં પણ કેટલીક જાહેરાતની આશા છે. આગળના બજેટમાં સરકારનું કેન્દ્ર મોદી કેર એટલે કે આયુષ્યમાન ભારત યોજના પર કેન્દ્રિત હતું. આ વર્ષે સરકાર આ યોજના માટે વધુ ફાળવણી કરી શકે છે અને આરોગ્યસંભાળ અને નિવારક ચેકઅપ માટે ટેક્સ લાભોમાં વધારો કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X