કેન્દ્રીય કેબિનેટે વીમા ક્ષેત્રમાં 49 ટકા FDIને મંજુરી આપી
નવી દિલ્હી, 24 જુલાઇ : આજે કેન્દ્રીય કેબિનેટે વીમા ક્ષેત્રમાં FIPB મારફતે 49 ટકા FDIને મંજુરી આપી દીધી છે. સરકારે વીમા ક્ષેત્રમાં FDIને મંજુરી આપતા એ બાબતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે તેનું સંચાલન ભારતીય હાથોમાં રહે. આ પહેલા વીમા ક્ષેત્રમાં 26 ટકા FDIને મંજુરી હતી. આ નિર્ણય આજે સવારે થયેલી બેઠકમાં લેવાયો છે.
કેબિનેટના નિર્ણય અનુસાર વીમા કંપનીઓ પરનો મેનેજમેન્ટ કન્ટ્રોલ ભારતીય પ્રમોટરોના હાથમાં જ રહેશે. સૂત્રો અનુસાર નરેન્દ્ર મોદીના વડપણમાં યોજાયેલી આ બેઠકમાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ વીમા ક્ષેત્રમાં 49 ટકા FDIના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

આ સાથે લાંબા સમયથી પેન્ડીંગ ઇન્શ્યોરન્સ લો(સુધારા)બીલમાં સુધારા કરવાની પણ મંજૂરી મળી છે. આ બિલને હવે સંસદમાં રજૂ કરવામાં આવશે. ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ (IRDA), 1999ની રચના બાદ વર્ષ 2000માં વીમા ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લુ મૂકાયુ હતું. આ એક્ટ મુજબ વિદેશી રોકાણકારોને 26 ટાક સુધીના રોકાણની પરવાનગી આપવામાં આવી હતી જે હવે વધીને 49 ટકા થવાની છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના









Click it and Unblock the Notifications
