8th Pay Commission: 8મા પગારપંચ પહેલા સરકારી કર્મચારીઓને મોટી ભેટ, જાણો કયા ફાયદા થશે
8th Pay Commission: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ માટે 8મા પગારપંચની અમલવારી પહેલા જ ખુશીના સમાચાર આવ્યા છે. ભારત સરકારના નાણાકીય સેવાઓ વિભાગે જાહેર ક્ષેત્રની બેંકો સાથે મળીને એક ખાસ 'સંયુક્ત પગાર ખાતું પેકેજ' (Integrated Salary Account Package) લોન્ચ કર્યું છે. આ નવું એકાઉન્ટ માત્ર પગાર જમા કરવાનું માધ્યમ નહીં, પણ વીમા અને સસ્તી લોન જેવી સુવિધાઓનું વ્યાપક પ્લેટફોર્મ બનશે.

એક ખાતું, અનેક ફાયદા: શું છે આ નવું પેકેજ?
અત્યાર સુધી સેલેરી એકાઉન્ટનો ઉપયોગ માત્ર પગાર મેળવવા માટે થતો હતો, પરંતુ હવે સરકારે તેને અપગ્રેડ કર્યું છે. નવા નિયમો મુજબ, કર્મચારીઓના વર્તમાન ખાતાને પ્રીમિયમ સુવિધાઓ સાથે જોડવામાં આવશે. આ પેકેજને મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું છે: બેંકિંગ, વીમો અને ડિજિટલ સેવાઓ.
વીમા ક્ષેત્રે મળશે મોટી સુરક્ષા
આ નવા પગાર ખાતા સાથે કર્મચારીઓને અલગથી મોંઘા વીમા પ્રીમિયમ ભરવાની જરૂર નહીં રહે. ખાતાની સાથે જ નીચે મુજબના લાભો મળશે.
- એર એક્સિડન્ટ ઈન્સ્યોરન્સ: વિમાન દુર્ઘટનાના કિસ્સામાં ₹2 કરોડ સુધીનું કવર.
- પર્સનલ અકસ્માત કવર: અકસ્માતમાં મૃત્યુ કે ઈજાના કિસ્સામાં ₹1.5 કરોડની સહાય.
- ટર્મ લાઈફ ઈન્સ્યોરન્સ: ₹20 લાખનો ઇન-બિલ્ટ લાઇફ વીમો.
- આરોગ્ય વીમો: કર્મચારી અને તેના પરિવાર માટે વ્યાપક હેલ્થ કવરેજ.
લોન મેળવવી બનશે સરળ અને સસ્તી
સરકારી કર્મચારીઓ માટે હવે ઘર કે ગાડી ખરીદવી વધુ સસ્તી પડશે. આ પેકેજ હેઠળ:
- હોમ લોન, કાર લોન અને એજ્યુકેશન લોન પર વ્યાજ દરોમાં રાહત મળશે.
- લોન પ્રોસેસિંગ ફીમાં મોટો ઘટાડો અથવા સંપૂર્ણ માફી આપવામાં આવશે.
- બેંક લોકરના ભાડા પર પણ ખાસ ડિસ્કાઉન્ટ મળશે.
ડિજિટલ અને બેંકિંગ સુવિધાઓમાં અપગ્રેડ
નવા એકાઉન્ટમાં શૂન્ય બેલેન્સ (Zero Balance) ની સુવિધાની સાથે કોઈ પણ વધારાના મેઈન્ટેનન્સ ચાર્જ ચૂકવવા પડશે નહીં. આ ઉપરાંત:
- અમર્યાદિત ફ્રી ટ્રાન્જેક્શનની સુવિધા.
- ડેબિટ અને ક્રેડિટ કાર્ડ પર એરપોર્ટ લાઉન્જ એક્સેસ અને કેશબેક ઓફર્સ.
- શ્રેષ્ઠ કસ્ટમર સપોર્ટ અને પ્રીમિયમ બેંકિંગ અનુભવ.
જૂના ખાતાનું શું થશે?
સરકારે બેંકોને સૂચના આપી છે કે તેઓ કર્મચારીઓની મંજૂરી લઈને તેમના હાલના સેલેરી એકાઉન્ટને આ નવા પેકેજમાં ટ્રાન્સફર કરે. આ માટે વિવિધ સરકારી કચેરીઓમાં જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે.
નિષ્ણાતોનું મંતવ્ય: સરકારનું આ પગલું 'વિકસિત ભારત 2047' ના લક્ષ્ય તરફનું એક મહત્વનું કદમ છે. આનાથી કર્મચારીઓને આર્થિક સુરક્ષાની સાથે સાથે બેંકિંગ વ્યવહારોમાં પણ પારદર્શિતા અને સરળતા મળશે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ









Click it and Unblock the Notifications
