ભારતનો બેરોજગારી દર 16 મહિનામાં સૌથી વધુ 8.30 ટકા રહ્યો, CMIEએ આપી જાણકારી
CMIE દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, શહેરી બેરોજગારીનો દર ડિસેમ્બરમાં વધીને 10.09 ટકા થયો હતો. જે અગાઉના મહિનામાં 8.96 ટકા હતો. આ સાથે ગ્રામીણ બેરોજગારીનો દર 7.55 ટકાથી ઘટીને 7.44 ટકા થયો હતો.
સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE) દ્વારા રવિવારના રોજ ડેટા જાહેર કરવામાં આવ્યા છે. CMIE દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ભારતનો બેરોજગારી દર ડિસેમ્બરમાં વધીને 8.30 ટકા થયો હતો, જે 16 મહિનામાં સૌથી વધુ છે, જે અગાઉના મહિનામાં 8.00 ટકા હતો.

CMIE દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, શહેરી બેરોજગારીનો દર ડિસેમ્બરમાં વધીને 10.09 ટકા થયો હતો. જે અગાઉના મહિનામાં 8.96 ટકા હતો. આ સાથે ગ્રામીણ બેરોજગારીનો દર 7.55 ટકાથી ઘટીને 7.44 ટકા થયો હતો.
આ અંગે જાણકારી આપતા CMIE ના મેનેજિંગ ડિરેક્ટર મહેશ વ્યાસ દ્વારા જણાવ્યા અનુસાર, બેરોજગારી દરમાં વધારો જેટલો ખરાબ જણાય છે, તેટલો ખરાબ નથી. કારણ કે, તે શ્રમ સહભાગિતા દરમાં તંદુરસ્ત વૃદ્ધિની ટોચ પર આવ્યો હતો, જે ડિસેમ્બર, 12 મહિનામાં સૌથી વધુ 40.48 ટકા સુધી વધ્યો હતો.
રોઇટર્સના અહેવાલ અનુસાર, મહેશ વ્યાસે જણાવ્યું હતું કે, સૌથી મહત્વપૂર્ણ રોજગાર દર ડિસેમ્બરમાં વધીને 37.1 ટકા થયો છે, જે જાન્યુઆરી 2022 પછી સૌથી વધુ છે. વર્ષ 2024માં રાષ્ટ્રીય ચૂંટણીઓ (લોકસભા ઇલેક્શન 2024) પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વહીવટીતંત્ર માટે હાઇ ઇન્ફ્લેશન અને જોબ માર્કેટમાં પ્રવેશતા લાખો યુવાનો માટે નોકરીઓનું સર્જન એ સૌથી મોટો પડકાર છે.
કોંગ્રેસે મોંઘવારી, બેરોજગારી અને મોદીની ભાજપની વિભાજનકારી રાજનીતિ જેવા મુદ્દાઓ પર લોકોના અભિપ્રાયને એકત્ર કરવા માટે સપ્ટેમ્બરમાં કન્યાકુમારીથી શ્રીનગર સુધી પાંચ મહિના લાંબી ક્રોસ-કંટ્રી ભારત જોડો યાત્રા શરૂ કરી છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શનિવારના રોજ પત્રકારોને જણાવ્યું હતું કે, ભારતે જીડીપી વૃદ્ધિ પર એકલ ધ્યાન કેન્દ્રીત કરીને રોજગાર, યુવાનોના કૌશલ્ય અને નિકાસની સંભાવનાઓ સાથે ઉત્પાદન ક્ષમતાઓ સાથે વૃદ્ધિ તરફ આગળ વધવાની જરૂર છે.
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા સંકલિત અને નવેમ્બરમાં બહાર પાડવામાં આવેલા અલગ-અલગ ત્રિમાસિક ડેટા અનુસાર, જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેરોજગારીનો દર અગાઉના ક્વાર્ટરમાં 7.6 ટકાની સરખામણીએ ઘટીને 7.2 ટકા થયો હતો.
CMIE ડેટા દર્શાવે છે કે, ડિસેમ્બર 2022માં હરિયાણામાં બેરોજગારીનો દર વધીને 37.4 ટકા થયો હતો, ત્યારબાદ રાજસ્થાનમાં 28.5 ટકા અને દિલ્હીમાં 20.8 ટકા હતો. આ સાથે નવેમ્બર 2022માં ગુજરાતમાં બેરોજગારીનો દર 2.49 ટકા હતો. તાજેતરના મહિનાઓમાં ગુજરાતમાં બેરોજગારીનો દર નોંધપાત્ર રીતે વધઘટ થયો હોવા છતાં, તે ડિસેમ્બર 2021 - નવેમ્બર 2022ના સમયગાળા દરમિયાન નવેમ્બર 2022 માં 2.49 ટકા રહ્યો હતો.
-
ગુજરાતમાં હજુ વરસાદથી રાહત નહીં, વરસાદને લઈને મોટી આગાહી -
PNG Connection: ગેસ સંકટ વચ્ચે સૌથી મોટા સમાચાર! માત્ર 24 કલાકમાં દૂર થશે અછત, સરકારે ઉઠાવ્યું આ પગલું -
Petrol Diesel Price: 19 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 1: રણવીર સિંહની 'ધુરંધર 2' એ મચાવ્યો ધમાકો, ઓપનિંગ પર તૂટી શકે છે તમામ રેકોર્ડ -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
Petrol Diesel Price: 20 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
સુરતમાં ગેસની અછત વચ્ચે શ્રમિકો માટે મેગા કિચન શરૂ કરવામાં આવ્યુ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો











Click it and Unblock the Notifications
