ધનતેરસ : BSE અને NSEમાં ગોલ્ડ ટ્રેડિંગ સેશન લંબાવાયું
મુંબઇ, 20 ઓક્ટોબર : બીએસઇ અને એનએસઇ 21 ઓક્ટોબર, 2014 મંગળવારે ધનતેરસના દિવસે ગોલ્ડ એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડ (ઇટીએફ - ETF)નું ટ્રેડિંગ સત્ર સાંજના સાત વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.
ધનતેરસનો દિવસ સોનું ખરીદવા માટે શુભ ગણાય છે. આ કારણે આ દિવસે બંને એક્સ્ચેન્જ દ્વારા ગોલ્ડ ઇટીએફના ટ્રાન્ઝેક્શન ચાર્જિસ નહીં લેવાનો પણ નિર્ણય કર્યો છે.

બંને એક્સ્ચેન્જના સર્ક્યુલર પ્રમાણે 21 ઓક્ટોબરે સવારે 9થી બપોરે 3:40 સુધી બજારના રાબેતા મુજબના કલાકો મુજબ ટ્રોડિંગ કરશે. ત્યાર બાદસાંજે 4:30 કલાકે ગોલ્ડ ઇટીએફનું ટ્રેડિંગ શરૂ થશે અને સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે.
ગોલ્ડ ઇટીએફના ભાવ સોનાની વધઘટ પર આધારિત હોય છે અને સામાન્ય રીતે ગોલ્ડ ઇટીએફનો એક યુનિટ એક ગ્રામ સોના જેટલો હોય છે.












Click it and Unblock the Notifications
