તમને ખબર છે? સોનાના ઘરેણાંમાં હોલમાર્કના સ્થાને પ્યોરિટી માર્ક આવશે?
નવી દિલ્હી, 8 ડિસેમ્બર : શું આપ જાણો છો કે આવનારા સમયાં સોના-ચાંદીના ઘરેણાની શુદ્ધતાની ખાતરી આપવા માટે હોલમાર્ક નહી પરંતુ શુધ્ધતા માર્ક લગાવવામાં આવશે? કેન્દ્ર સરકારે લોકોની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખતા હોલમાર્કનું નામ બદલવા વિચાર કર્યો છે. આનાથી લોકોને સોના-ચાંદીની શુધ્ધતાની ઓળખ કરવામાં સરળતા રહેશે.

આ અંગે કેન્દ્રીય માનક બ્યુરો ટુંક સમયમાં અમલ પણ શરૂ કરી દેશે. કેન્દ્રીય ઉપભોકતા મામલાના મંત્રી રામવિલાસ પાસવાને બીઆઇએસ અને મંત્રાલયના અધિકારીઓને ટુંક સમયમાં નામ બદલવાના નિર્દેશો આપી દીધા છે.
મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ છે કે મોટાભાગના લોકો હોલમાર્કનો અર્થ સમજી શકતા નથી તેથી તેનુ નામ સરળ બનાવવામાં આવશે. શુધ્ધતાની મહત્તાને લોકો જાણે છે અને તેના નિશાનને સરળતાથી ઓળખી શકે છે. સાથોસાથ પાસવાને રાષ્ટ્રીય ઉપભોકતા વિવાદ નિવારણ પંચનું નામ બદલવાના પણ નિર્દેશો આપ્યા છે.
પાસવાને કહ્યુ છે કે તેનુ નામ માત્ર રાષ્ટ્રીય ગ્રાહક પંચ હોવુ જોઇએ કે જેથી ગ્રાહકો સમજી શકે કે આ અમારા હિતોની રક્ષા માટે છે અને તેઓ તેનો ફાયદો ઉઠાવી શકે. આનાથી છેતરપીંડી પણ અટકશે.
કેન્દ્ર સરકાર ગ્રાહકોના હિતોની રક્ષા માટે ગ્રાહક સંરક્ષણ એકટમાં પણ ફેરફારો કરશે. ટુંક સમયમાં આ બાબતે સંસદમાં ખરડો પણ આવશે. પ્રસ્તાવિત ફેરફારમાં ગ્રાહક ફોરમ અને કમીશનને વધુ અધિકારો આપવામાં આવશે અને એ પણ નક્કી કરાશે કે કેટલા સમયમાં ગ્રાહકને ન્યાય મળે છે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી









Click it and Unblock the Notifications
