જમ્મુ-કાશ્મીરને મોદી સરકારની વઘુ એક ભેટ, લાખો કર્મચારીઓનો પગાર વધ્યો
જમ્મુ-કાશ્મીરને મોદી સરકારની વઘુ એક ભેટ, લાખો કર્મચારીઓનો પગાર વધ્યો
નવી દિલ્હીઃ કેન્દ્રની મોદી સરકારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના લોકોને વધુ એક ભેટ આપી છે. સરકારે અહીંના કર્મચારીઓના પગારમાં વધારો કર્યો છે. સરકારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના નવા કેન્દ્રશાસિત પ્રદેશના સરકારી કર્મચારીઓને દિવાળી ગિફ્ટ આપતા તેમના પગારમાં વધારો કર્યો છે. સરકારે કેનદ્રીય કર્મચારીઓના પગારમાં ભારે વધારો કર્યો છે.

જમ્મુ-કાશ્મીરને મોદી સરકારની ભેટ
સરકારે જમ્મુ-કાશ્મીરને વધુ એક ભેટ આપી છે. કલમ 370 હટાવ્યા બાદ સરકારે હવે અહીંના કર્મચારીઓના પગારમાં વધારો કર્યો છે. સરકાર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ સરકારી કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપ્યો છે. સરકારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કર્મચારીઓને સાતમાં પગાર પંચની ભલામણોને આધારે પગાર આપવાનો ફેસલો કર્યો છે. સરકારના આ ફેસલાથી આ બંને કેન્દ્રશાસિત પ્રદેશોના 4. લાખ સરકારી કર્મચારીઓને લાભ થશે.

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના 4.5 લાખ કર્મચારીઓને ફાયદો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્મચારીઓના પગારમાં વધારો કરવાની જાણકારી આપતા કહ્યું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કર્મચારીઓને સાતમા પગાર પંચના આધારે ભથ્થું મળશે. મોદી સરકારના આ ફેસલાથી 4.5 લાખ સરકારી કર્મચારીઓને ફાયદો થશે. 31 ઓક્ટોબરથી આ આદેશ લાગૂ થશે. આ વધારામાં બાળ શિક્ષણ ભથ્થું, છાત્રાવાસ ભથ્થું, પરિવહન ભથ્થું, એલટીએસ, ફિક્સ્ડ ચિકિત્સા ભથ્થું સહિત અન્ય ભથ્થાં સામેલ છે.

બેઝિક સેલેરીમાં 11000નો વધારો
જે અંતર્ગત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કર્મચારીઓના પગારમાં તગડો વધારો થશે. આ કર્મચારીઓની બેઝિક સેલેરી 7000 રૂપિયાથી વધીને 18000 રૂપિયા થઈ જશે. જ્યારે સેક્રેટરી સ્તરની મહત્તમ સેલેરી જે 90000 રૂપિયા છે તે વધીને 2.5 લાખ રૂપિયા થઈ જશે.જ્યારે આ ફેસલાથી ગ્રેજ્યુઅટી 10 લાખ રૂપિયાથી વધી 20 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓને એક્સ ગ્રેશિયો 10-20 લાખને બદલે 25-45 લાખ રૂપિયા હશે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત?









Click it and Unblock the Notifications
