EPF Partial Amount Withdrawal: ક્યારે અને કોણ ઉપાડી શકે છે EPF? જાણો શરતો
EPF Partial Amount Withdrawal: જીવનમાં ઘણીવાર એવી હાલત થઇ જાય છે કે, આપણને પૈસાની અચાનક જરૂરિયાત ઉભી થાય છે. આવી સ્થિતિમાં ઘણીવાર લોકો લોન લે છે. આવામાં જો તમે ઇપીએફઓમાં રોકાણ કરી રહ્યા છો, તો તમે ચાલુ નોકરીએ પણ ફંડમાંથી પૈસા ઉપાડી શકો છો.
EPF કર્મચારીઓને આંશિક ઉપાડ કરવાની તક આપે છે. આ અહેવાલમાં આપણે જાણીશું કે, કઈ પરિસ્થિતિઓમાં તમે EPFમાંથી પૈસા ઉપાડી શકો છો.
ઘર અથવા જમીન લેવા માટે - જો તમે પાંચ વર્ષથી વધુ સમય માટે EPFમાં રોકાણ કરો છો, તો તમે કેટલીક પરિસ્થિતિઓમાં આંશિક ઉપાડનો લાભ મેળવી શકો છો. તમે પ્લોટ ખરીદવા અથવા મકાન ખરીદવા અને બનાવવા માટે EPFમાંથી પૈસા ઉપાડી શકો છો. આ માટે તમે એક મહિનાના 36 ગણી રકમ ઉપાડી શકો છો.

આ રકમ આવાસ યોજના હેઠળ મળશે. આ સ્કીમ હેઠળ તમે 90 ટકા સુધી ઉપાડી શકો છો. આ ઉપાડ માટે, તમારે સતત 3 વર્ષ સુધી EPFમાં યોગદાન આપવું પડશે. જો તમારા પીએફ ખાતામાં રકમ 20,000 રૂપિયાથી ઓછી છે તો તમે તેનો લાભ મેળવી શકતા નથી.
હોમ લોન ચૂકવવા માટે - જો તમે ઘર બનાવવા માટે હોમ લોન લીધી હોય તો તેની ચૂકવણી કરવા માટે તમે EPFમાંથી પૈસા પણ ઉપાડી શકો છો. આ સ્થિતિમાં, તે પીએફ બેલેન્સમાંથી 90 ટકા સુધીની રકમ ઉપાડી શકે છે.
તબીબી ખર્ચ - હાલમાં સારવાર ખર્ચમાં ઘણા પૈસા ખર્ચવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમે ગંભીર બીમારીની સારવાર, અપંગતા અથવા કંપની બંધ થવા જેવી ઈમરજન્સીની સ્થિતિમાં પણ ઈપીએફમાંથી પૈસા ઉપાડી શકો છો.
ઉલ્લેખનીય છે કે, જો તમે મેડિકલ માટે પૈસા ઉપાડવાનું વિચારી રહ્યા છો, તો તમારે એક મહિના કે તેથી વધુ સમય માટે એડમિટ હોવાનો પુરાવો આપવો પડશે.
તમે લગ્ન અથવા શિક્ષણ માટે પૈસા ઉપાડી શકો છો - તમે તમારી અથવા તમારી બહેન, પુત્રીના લગ્ન અથવા શિક્ષણ માટે EPFમાંથી પૈસા પણ ઉપાડી શકો છો. આ બંને પરિસ્થિતિઓમાં તમે માત્ર આંશિક ઉપાડ કરી શકો છો.
આ ઉપરાંત, આ ઉપાડ માટે તમારે ઓછામાં ઓછા 7 વર્ષ માટે EPFમાં યોગદાન આપવું જોઈએ. શિક્ષણ અથવા લગ્નના કિસ્સામાં, તમે યોગદાનના 50 ટકા સુધી ઉપાડી શકો છો.
બેરોજગાર થવા પર - જો કંપની બંધ થઈ ગઈ હોય અથવા તમે તમારી નોકરી ગુમાવો છો, તો પણ તમે EPFમાંથી પૈસા ઉપાડી શકો છો. આ સ્થિતિમાં તમે 1 મહિના પછી ફંડમાંથી પૈસા ઉપાડી શકો છો. પ્રથમ ઉપાડમાં, તમે રકમના 75 ટકા સુધી ઉપાડી શકો છો.
જ્યારે તમે રોજગાર મેળવો છો, ત્યારે બાકીની રકમ તમારા અન્ય ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જો તમે બે મહિનાથી વધુ સમયથી નોકરી કરતા નથી, તો તમે બાકીની રકમ પણ ઉપાડી શકો છો.
-
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
Middle East Conflict: ગલ્ફ દેશોમાં રહેતા ભારતીયો માટે એડવાઇઝરી જારી, ફોટો-વીડિયો લેવા પર પ્રતિબંધ






Click it and Unblock the Notifications
