ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે એક સારા સમાચાર, થઈ શકે છે PF પર વ્યાજદરમાં વધારો
ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે એક સારા સમાચાર છે. જલ્દી EPFO PF વ્યાજ દરમાં વધારો કરી શકે છે.
સૂત્રો અનુસાર, EPFO 2024-25 માટે વ્યાજ દર 8 ટકાથી વધારીને 8.25 ટકા કરી શકે છે. આ વધારો કર્મચારીઓની PF જમા રકમ પર વધુ વળતર આપશે.

સુત્રો અનુસાર, 28 ફેબ્રુઆરીએ EPFOની સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT) એક મહત્વપૂર્ણ બેઠકમાં PFના વ્યાજ દરમાં વધારાના પ્રસ્તાવ પર ચર્ચા થશે.
CBTની મંજૂરી પછી આ પ્રસ્તાવ નાણા મંત્રાલયને મોકલવામાં આવશે. નાણા મંત્રાલયની મંજૂરી મળ્યા બાદ PFના નવા વ્યાજ દર લાગુ પડશે.
EPFO 65 મિલિયનથી વધુ સભ્યો માટે ભવિષ્ય નિધિનું સંચાલન કરે છે. વ્યાજ દરમાં વધારાથી તમામ સભ્યોને સીધો આર્થિક લાભ મળશે. દરેક કર્મચારીને યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) આપવામાં આવે છે, જેની મદદથી તેઓ PF ખાતાનું સંચાલન કરી શકે છે.
EPFના વ્યાજ દરમાં વધારાનો નિર્ણય ખાનગી કર્મચારીઓને મોટો ફાયદો કરાવશે. હવે સૌની નજર 28 ફેબ્રુઆરીની CBT બેઠક પર છે, જ્યાં આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.












Click it and Unblock the Notifications
