Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આનંદો! EPF પર આ વર્ષે મળશે 8.75 ટકા વ્યાજ

epfo
નવી દિલ્હી, 13 જાન્યુઆરી: સામાન્ય ચૂંટણીના વર્ષમાં સરકારે ઇપીએફ ખાતા ધારકોને સુંદર ભેંટ આપી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને વર્ષ 2013-14 માટે વ્યાજ દરમાં એક-ચતુર્થાઉંશ ટકાનો વધારો કરી 8.75 ટકા વ્યાજ આપવાનો નિર્ણય કર્યો છે. આનાથી ઇપીએફઓના 8 કરોડ ખાતા ધારકોને ફાયદો થશે.

ઇપીએફઓના નિર્ણય લેનાર સીબીટીની સોમવારે મળેલી બેઠકમાં ચાલુ નાણાકિય વર્ષ માટે વ્યાજદરને 8.5 ટકાથી વધારી 8.75 ટકા કરવાનો નિર્ણય કર્યો છે.

સીબીટીની બેઠક માટેના નક્કી એજન્ડા પ્રમાણે ઇપીએફઓને ચાલુ નાણાકિય વર્ષમાં 20,796.96 કરોડ રૂપિયાની આવકનું અનુમાન છે અને તેને પોતાના ખાતા ધારકોને 8.5 ટકાનું વ્યાજ દરની ચૂકવણી માટે 20,740 કરોડ રૂપિયાની જરૂરિયાત છે.

અનુમાન અનુસાર વ્યાજદર અડધો ટકો વધારીને 9 ટકા કરવા માટે 1229 કરોડ રૂપિયાના વધારાના નાણાની જરૂરીયાત પડતી, જેના માટે સીબીટીના પ્રમુખ અને શ્રમ મંત્રી ઓક્સર ફર્નાંડિસ તૈયાર થયા નહીં. બોર્ડની બેઠક પહેલા તેમણે જણાવ્યું હતું, 'ઇપીએફ પર વ્યાજ ઇપીએફઓની કમાણીના આધાર પર આપવામાં આવે છે. અમે આના માટે સબસિડી આપી શકીએ નહીં.'

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X