Eternal Limited : આ કંપનીએ વિદેશી માલિકીને 49.5 ટકા સુધી મર્યાદિત કરવાનો નિર્ણય લીધો
Eternal Limited : અગાઉ ઝોમેટો તરીકે ઓળખાતી અને હાલની ઇટર્નલ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કંપનીમાં વિદેશી માલિકીને 49.5 ટકા સુધી મર્યાદિત કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
આ નિર્ણય હેઠળ વિદેશી રોકાણના તમામ સ્વરૂપો જેમાં સીધું, પોર્ટફોલિયો અને આડકતરું રોકાણ સામેલ છે. આ તમામને 49.5 ટકાની મર્યાદામાં રાખવામાં આવશે.

આ પ્રસ્તાવને અમલમાં મૂકવા માટે કંપનીએ શેરહોલ્ડર્સની મંજૂરી માટે પોસ્ટલ બેલેટ દ્વારા વિશેષ ઠરાવ મૂકવાનું નક્કી કર્યું છે. આ નિર્ણયથી કંપનીના વ્યવસાયિક માળખામાં વધુ સુગમતા અને નિયંત્રણ મળવાની અપેક્ષા છે.
આ પગલું ભારતના વિદેશી રોકાણ નિયમોને અનુરૂપ છે, જે વિદેશી રોકાણકારોની માલિકીવાળી ઓનલાઈન માર્કેટપ્લેસને ઇન્વેન્ટરી રાખવા પર પ્રતિબંધ મૂકે છે. 49.5 ટકા વિદેશી માલિકીની મર્યાદા સાથે ઇટર્નલ લિમિટેડ ભારતીય માલિકી અને નિયંત્રણવાળી કંપની (IOCC) તરીકે ગણાશે.
આનાથી તેની ક્વિક કોમર્સ શાખા બ્લિન્કિટને માત્ર માર્કેટપ્લેસ તરીકે કામ કરવાને બદલે ઇન્વેન્ટરી રાખવાની સુગમતા મળશે. ઇન્વેન્ટરી રાખવાથી બ્લિન્કિટને ખાનગી લેબલ લોન્ચ કરવા, ઉત્પાદનોની વિશાળ શ્રેણી ઓફર કરવા અને નફાના માર્જિનમાં સુધારો કરવાની તક મળશે.
31 માર્ચ સુધીના આંકડા અનુસાર, ઇટર્નલમાં ભારતીય રોકાણકારો જેમાં મ્યુચ્યુઅલ ફંડ્સ, નાણાકીય સંસ્થાઓ અને રિટેલ શેરહોલ્ડર્સનો સમાવેશ થાય છે તેની હિસ્સેદારી 55 ટકા છે. આ નિર્ણયથી કંપનીને વ્યૂહાત્મક લાભ મળશે, જેમ કે વધુ નિયંત્રણ, ઉત્પાદન શ્રેણીનું વિસ્તરણ અને નફાકારકતામાં વધારો થશે.
ઉદાહરણ તરીકે ફર્સ્ટક્રાય જેવી અન્ય કંપનીઓએ પણ સ્થાનિક નિયમોનું પાલન કરવા અને ઓનલાઈન રિટેલ વ્યવસાયને વિસ્તારવા માટે સમાન મર્યાદા અપનાવી છે.
ઇટર્નલના આ નિર્ણયને બજારમાં સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. 17 એપ્રિલે કંપનીનો શેર BSE પર 4.4 ટકા વધીને 231.75 પર બંધ થયો હતો. જો કે, આ પ્રસ્તાવને શેરહોલ્ડર્સની મંજૂરી મળવી જરૂરી છે અને આ માટે પોસ્ટલ બેલેટની નોટિસ શેરહોલ્ડર્સ અને સ્ટોક એક્સચેન્જને મોકલવામાં આવશે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
