Eternal Limited : આ કંપનીએ વિદેશી માલિકીને 49.5 ટકા સુધી મર્યાદિત કરવાનો નિર્ણય લીધો
Eternal Limited : અગાઉ ઝોમેટો તરીકે ઓળખાતી અને હાલની ઇટર્નલ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કંપનીમાં વિદેશી માલિકીને 49.5 ટકા સુધી મર્યાદિત કરવાનો મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
આ નિર્ણય હેઠળ વિદેશી રોકાણના તમામ સ્વરૂપો જેમાં સીધું, પોર્ટફોલિયો અને આડકતરું રોકાણ સામેલ છે. આ તમામને 49.5 ટકાની મર્યાદામાં રાખવામાં આવશે.

આ પ્રસ્તાવને અમલમાં મૂકવા માટે કંપનીએ શેરહોલ્ડર્સની મંજૂરી માટે પોસ્ટલ બેલેટ દ્વારા વિશેષ ઠરાવ મૂકવાનું નક્કી કર્યું છે. આ નિર્ણયથી કંપનીના વ્યવસાયિક માળખામાં વધુ સુગમતા અને નિયંત્રણ મળવાની અપેક્ષા છે.
આ પગલું ભારતના વિદેશી રોકાણ નિયમોને અનુરૂપ છે, જે વિદેશી રોકાણકારોની માલિકીવાળી ઓનલાઈન માર્કેટપ્લેસને ઇન્વેન્ટરી રાખવા પર પ્રતિબંધ મૂકે છે. 49.5 ટકા વિદેશી માલિકીની મર્યાદા સાથે ઇટર્નલ લિમિટેડ ભારતીય માલિકી અને નિયંત્રણવાળી કંપની (IOCC) તરીકે ગણાશે.
આનાથી તેની ક્વિક કોમર્સ શાખા બ્લિન્કિટને માત્ર માર્કેટપ્લેસ તરીકે કામ કરવાને બદલે ઇન્વેન્ટરી રાખવાની સુગમતા મળશે. ઇન્વેન્ટરી રાખવાથી બ્લિન્કિટને ખાનગી લેબલ લોન્ચ કરવા, ઉત્પાદનોની વિશાળ શ્રેણી ઓફર કરવા અને નફાના માર્જિનમાં સુધારો કરવાની તક મળશે.
31 માર્ચ સુધીના આંકડા અનુસાર, ઇટર્નલમાં ભારતીય રોકાણકારો જેમાં મ્યુચ્યુઅલ ફંડ્સ, નાણાકીય સંસ્થાઓ અને રિટેલ શેરહોલ્ડર્સનો સમાવેશ થાય છે તેની હિસ્સેદારી 55 ટકા છે. આ નિર્ણયથી કંપનીને વ્યૂહાત્મક લાભ મળશે, જેમ કે વધુ નિયંત્રણ, ઉત્પાદન શ્રેણીનું વિસ્તરણ અને નફાકારકતામાં વધારો થશે.
ઉદાહરણ તરીકે ફર્સ્ટક્રાય જેવી અન્ય કંપનીઓએ પણ સ્થાનિક નિયમોનું પાલન કરવા અને ઓનલાઈન રિટેલ વ્યવસાયને વિસ્તારવા માટે સમાન મર્યાદા અપનાવી છે.
ઇટર્નલના આ નિર્ણયને બજારમાં સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. 17 એપ્રિલે કંપનીનો શેર BSE પર 4.4 ટકા વધીને 231.75 પર બંધ થયો હતો. જો કે, આ પ્રસ્તાવને શેરહોલ્ડર્સની મંજૂરી મળવી જરૂરી છે અને આ માટે પોસ્ટલ બેલેટની નોટિસ શેરહોલ્ડર્સ અને સ્ટોક એક્સચેન્જને મોકલવામાં આવશે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો






Click it and Unblock the Notifications
