ગરીબોને ત્રણ મહિના સુધી 10KG રાશન ફ્રી આપવાનું એલાન, સ્વાસ્થ્ય કર્મીઓને 50 લાખનો વીમો
ગરીબોને ત્રણ મહિના સુધી 10KG રાશન ફ્રી આપવાનું એલાન, સ્વાસ્થ્ય કર્મીઓને 50 લાખનો વીમો
નવી દિલ્હીઃ કોરોના વાયરસને પગલે ભારતમાં લૉકડાઉનનો આજે બીજો દિવસ છે. આ જીવલેણ વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા 650 થઈ ગઈ છે. દેશને કોરોના વાયરસના પ્રકોપથી બચાવવા માટે કેટલીય આર્થિક મદદનું એલાન કરવામાં આવી રહ્યું છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે પરેસ કોન્ફ્રેન્સ કરીને કહ્યું કે સરકાર ગરીબોની મદદ માટે 1.70 લાખ કરોડ રૂપિયાનું પેકેજ લઈને આવી છે. ગરીબ કલ્યાણ સ્કીમ અંતર્ગત ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર થશ અને લોકોને ખાદ્ય સુરક્ષા આપવામા આવશે. તેમણે કહ્યું કે 24-25ની રાતે લૉકડાઉન શરૂ કરવામાં આવ્યું છે. સરકાર પ્રભાવિતો અને ગરીબોની મદદ માટે કામ કરી રહી છે. આપણે તેમના સુધી પહોંચવું છે. માત્ર 36 કલાક જ થયા છે. અમે પેકેજ લઈને આવ્યા છીએ, જે ગરીબોનું ધ્યાન રાખશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે જે લોકો આ જંગ લડી રહ્યા છે, ચિકિત્સાના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે તેમને 50 લાખનું લાઈફ ઈન્સ્યોરન્સ આપવામાં આવશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ગરબી કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 80 કરોડ લોકોની સંખ્યા આવે છે. સુનિશ્ચિત કરવામાં આવશે કે એકપણ વ્યક્તિ ભોજન વિના ના રહે. દરેક વ્યક્તિને 5 કિલો ચોખા અને ઘઉં આપવામાં આવશે. આગામી ત્રણ મહિના સુધી આ રાહત આપવામાં આવશે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 0 કરોડ લોકોની સંખ્યા આવે છે. સુનિશ્ચિત કરવામાં આવશે કે એકપણ વ્યક્તિ ભોજન વિના ના રહે. દરેક વ્યક્તિને 5 કિલો ચોખા અને ઘઉં આપવામાં આવશે. આ ત્રણ મહિના સુધી આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
