Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ખેડૂતો પર મહેરબાન સરકાર, કૃષિ ઈન્ફ્ર્રાસ્ટ્રક્ચર માટે 1 લાખ કરોડ રૂપિયાનુ પેકેજ

લૉકડાઉનથી પ્રભાવિત અર્થવ્યવસ્થા માટે અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ પીએમ મોદી તરફથી ઘોષિત 20 લાખ કરોડા પેકેજના ત્રીજા હિસ્સાને નાણામંત્રી નિર્મલા સીતારમણે એલાન કર્યુ.

કોરોના વાયરસના કારણે કરવામાં આવેલ લૉકડાઉનના કારણે દેશની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ચૂકી છે. કોરોના વાયરસ લૉકડાઉનથી પ્રભાવિત અર્થવ્યવસ્થા માટે અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ પીએમ મોદી તરફથી ઘોષિત 20 લાખ કરોડા પેકેજના ત્રીજા હિસ્સાને નાણામંત્રી નિર્મલા સીતારમણે એલાન કર્યુ. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે પીએમ મોદીએ 12 માર્ચના રોજ આત્મનિર્ભર ભારત માટે સપ્લાઈ ચેન બનાવવા અને ડેમોગ્રાફીની વાત કરી હતી. આજે આપણે કૃષિ અને તેની સાથે જોડાયેલી ગતિવિધિઓ પર ફોકસ રહેશે.

Nirmala Sitharaman

સીતારમણે કહ્યુ કે ભારતની મોટાભાગની વસ્તી કૃષિ પર આધારિત છે અને આજે આપણે તેને ધ્યાનમાં રાખીને બધી ઘોષણાઓ કરીશુ. નાણામંત્રી સીતારમણે કહ્યુ કે ખેડૂત દેશનુ પેટ ભરવા સાથે નિકાસ કરે છે તેના માટે અનાજ ભંડારણ, કોલ્ડ ચેન અને અન્ય કૃષિ આધારિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. કૃષિ ઉત્પાદક સંઘ, કૃષિ સ્ટાર્ટઅપ વગેરેને પણ આનો લાભ થશે.

નાણામંત્રીએ કહ્યુ કે ખેડૂતોને શોર્ટ ટર્મ જે લોન આપવામાં આવે છે પરંતુ દીર્ઘકાલીન કૃષિને ધ્યાનમાં અત્યાર સુધી રાખવામાં આવતી નહોતી પરંતુ આ પાસાં પર પણ ધ્યાન આપવામાં આવશે. તેમણે જણાવ્યુ કે એક હજાર કરોડ રૂપિયા કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે આપવામાં આવશે જેમાં એગ્રીકલ્ચર કૉપરેટીવ સોસાયટી, કૃષિ પ્રધાન સંસ્થાઓ અને કૃષિ સ્ટાર્ટઅપ માટે ઉપયોગ કરવામાં આવશે. તેમણે કહ્યુ કે પાકની ઉપજ બાદ અનાજ ભંડારણ પર વિશેષ ફોકસ કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યુ કે આ ફંડ તરત જ આપવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X