ફ્લિપકાર્ટના ગ્રુપ સીઈઓ બિન્ની બંસલે રાજીનામું આપ્યું, લાગ્યા ગંભીર આરોપો
ફ્લિપકાર્ટના ગ્રુપ સીઈઓ બિન્ની બંસલે રાજીનામું આપ્યું
મુંબઈઃ ફ્લિપકાર્ટના કો-ફાઉન્ડર અને સીઈઓ બિન્ની બંસલે રાજીનામું આપી દીધું છે. વૉલમાર્ટ મુજબ આંતરિક તપાસને પગલે બિન્ની બંસલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ફ્લિપકાર્ટ અને પાર્ટનર ફર્મ વૉલમાર્ટ દ્વારા કરાવવામાં આવેલ આંતરિક તપાસ બાદ તેમણે રાજીનામું આપ્યું છે. બંને કંપનીઓ તરફથી જાહેર કરવામાં આવેલ સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બંસલ કંપનીની તપાસમાં ગંભીર વ્યક્તિગત દુર્વ્યવહારના દોષી ઠર્યા છે. જ્યારે બિન્ની બંસલે પાસના કારણે રાજીનામું આપ્યું હોવાની વાતને નકારી કાઢી છે.

બિન્ની બંસલે રાજીનામું આપ્યું
મીડિયા રિપોર્ટ્સ મુજબ ગંભીર પર્સનલ દુર્વ્યવહારના આરોપો બાદ ફ્લિપકાર્ટ અને વૉલમાર્ટે કરેલ સ્વતંત્ર તપાસ બાદ બિન્ની બંસલે આ ફેસલો લીધો છે. જો કે તેમણે તમામ આરોપોને ફગાવી દીધા હતા. બિન્ની બંલના રાજીનામાં બાદ હવે કૃષ્ણમૂર્તિ ફ્લિપકાર્ટના સીઈઓ બન્યા રહેશે. વૉલમાર્ટ તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનમાં કહેવામાં આવ્યું કે બિન્ની વિરુદ્ધ સબૂતો મળ્યા છે. આ દરમિયાન બિન્નીએ જેવી રીતે વ્યવહાર કર્યો તેમાં ખામી મળી છે. જેમાં પારદર્શિતાની કમી હતી. આ કારણે જ તેનું રાજીનામું પણ સ્વીકારી લેવામાં આવ્યું છે.

કંપનીએ કરાવી હતી તપાસ
વૉલમાર્ટે કહ્યું કે તેઓ ફ્લિપકાર્ટમાં બિન્નીના ગયા બાદ એમનો ઉત્તરાધિકારી શોધી રહ્યા છે. હાલ કલ્યાણ કૃષ્ણમૂર્તિ ફ્લિપકાર્ટના સીઈઓ બન્યા રહેશે. આમાં ઓનલાઈન રિટેલર 'મિન્ત્રા' અને 'જબોન્ગ'ને પણ સામેલ કરી દેવામાં આવી છે. અનંત નારાયણ મિન્ત્રા અને જબોન્ગના સીઈઓ બન્યા રહેશે પરંતુ તેઓ કૃષ્ણમૂર્તિને રિપોર્ટ કરશે. જ્યારે સમીર નિગમ ફોન પેના સીઈઓ બન્યા રહેશે. કૃષ્ણમૂર્તિ અને સમીર બંને બોર્ડને રિપોર્ટ કરશે.

બંસલ દોશી ઠર્યા
જણાવી દઈએ કે આ વર્ષે મે મહિનામાં વૉલમાર્કેટ ફ્લિપકાર્ટને 1.05 લાખ કરોડ રૂપિયામાં ખરીદી લીધી હતી. આ ડીલ બાદ વૉલમાર્ટની ફ્લિપકાર્ટમાં 77 ટકાની ભાગીદારી થઈ ગઈ હતી. આ ડીલમાં ફ્લિપકાર્ટના બીજા કો-ફાઉન્ડર સચિન બંસલે પોતાનો 5.5 ટકા ભાગ વેચી દીધો હતો. અને બાદમાં તેઓ કંપનીથી બહાર થઈ ગયા હતા. હવે ફ્લિપકાર્ટના બીજા કો-ફાઉન્ડરે પણ રાજીનામું આપી દીધું છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
