મોદી સરકારની મોટી ભેટ, ESI યોગદાનમાં 6.5 ટકાનો ઘટાડો
મોદી સરકારની મોટી ભેટ, ESI યોગદાનમાં 6.5 ટકાનો ઘટાડો
મોદી સરકારે બીજો એક મહત્વનો ફેસલો લેતા ઈએસઆઈ યોગદાન દર ઘટાડ્યો છે. ઈએસઆઈ એક્ટ અંતર્ગત તેનો દર 6.5 ટકાથી ઘટાડી ચાર ટકા કરી દેવાામં આવ્યો છે. જેમાં નિયોક્તાઓનું યોગદાન 4.75 ટકાથી ઘટાડીને 3.25 ટકા કરી દેવાયું છે. જ્યારે કર્મચારીઓએ હવે 1.75 ટકાની જગ્યાએ 0.75 ટકા જ યોગદાન આપવું પડશે. ઘટેલ દરો પહેલી જુલાઈ 2019થી લાગુ છે.

સરકારના આ ફેસલાથી 12.85 લાખ નિયોક્તાઓને દર વર્ષે 5000 કરોડ રૂપિયાની બચત થશે અને 3.5 કરોડ કર્મચારીઓને લાભ પહોંચશે. જણાવી દઈએ કે લગભગ 12.85 લાખ નિયોક્તાઓ અને 3.6 કરોડ કર્મચારીઓએ નાણાકીય વર્ષ 2018-19માં ઈએસઆઈ યોજનામાં 22279 કરોડ રૂપિયાનું યોગદાન આપ્યું હતું. યોગદાનના દરમાં ઘટાડાથી આ કંપનીઓને વાર્ષિક ઓછામાં ઓછી 5000 કરોડ રૂપિયાની બચત થશે.
શ્રમ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલ જાહેરાતમાં કહેવામાં આવ્યું છે કે યોગદાનના ઘટેલ દરથી કામગારોને રાહત મળશે. જેનાથી વધુ કામદારોને ઈએસઆઈ યોજના અંતર્ગત નામાંકિત કરી શવાના હતા તથા વધુમાં વધુ શ્રમીક બળને ઔપચારિક ક્ષેત્ર અંતર્ગત લાવવા સહેલું થઈ શક્યું હોત.
કર્મચારી રાજ્ય વીમા કાનૂન 1948 મુજબ ઈએસઆઈ અંદર આવતા વ્યક્તિઓને ચિકિત્સા, રોકડ, માતૃત્વ, નિશક્તતા અને આશ્રિત થવાના લાભ પ્રદાન કરે છે. ઈએસઆઈ કર્મચારી રાજ્ય વીમા નિગમ દ્વારા પ્રશાસિત છે. ઈએસઆઈ કાનૂન અંતર્ગત ઉપલબ્ધ કરાવવામાં આવતા લાભ નિયોક્તાઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ યોગદાનના માધ્યમથી નાણાકીય પોષણ મળવાને પાત્ર છે.
સરકારે સામાજિક સુરક્ષા કવરેજ વધુમાં વધુ લોકોને પહોંચાડવા માટે ડિસેમ્બર 2016થી જૂન 2017 સુધી નિયોક્તા અને કર્મચારીઓના વિશેષ પંજીકરણનો કાર્યક્રમ શરૂ કર્યો છે. યોજનાનો કવરેજ લાભ વિવિધ ચરણોમાં દેશના તમામ જિલ્લા સુધી વધારવાનો ફેસલો કરવામાં આવ્યો છે. કવરેજમાં વેતનની સીમા એક જાન્યુઆરી 2017થી 15000 રૂપિયા પ્રતિ માસ વધારીને 21000 રૂપિયા પ્રતિ માસ કરવામાં આવી છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
