નોકરિયાત માટે ખુશખબર, ઇનકમ ટેક્સ સ્લેબમાં થઇ શકે છે આ બદલાવ
મોદી સરકાર તેમના બીજા કાર્યકાળમાં નોકરિયાત લોકોને મોટી ભેટ આપી શકે છે. 5 જુલાઇના રોજ રજૂ થનારા બજેટ સત્ર દરમિયાન લાખો નોકરી કરનારા લોકોને રાહત મળી શકે તેવી અપેક્ષા છે.
મોદી સરકાર તેમના બીજા કાર્યકાળમાં નોકરિયાત લોકોને મોટી ભેટ આપી શકે છે. 5 જુલાઇના રોજ રજૂ થનારા બજેટ સત્ર દરમિયાન લાખો નોકરી કરનારા લોકોને રાહત મળી શકે તેવી અપેક્ષા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ઇનકમ ટેક્સ છૂટની મર્યાદામાં વધારો કરી શકાય છે. છૂટની મર્યાદા વધારીને રૂ. 5 લાખ કરી શકાય છે. નાણા મંત્રાલયના સૂત્રોનું માનીએ તો, ઇનકમ ટેક્સમાં છૂટની સીમાને 2.5 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરી શકાય છે.
આ પણ વાંચો: મોદી સરકારની મોટી ભેટ, ESI યોગદાનમાં 6.5 ટકાનો ઘટાડો

બજેટમાં રાહત માટેની આશા
ભારતીય ઉદ્યોગે સરકાર પાસેથી વ્યક્તિગત ઇનકમ ટેક્સ મુક્તિની મર્યાદા 2.5 લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવાની માંગ કરી છે. યુએસોચેમએ મોંઘવારીના સંદર્ભમાં ઇનકમ ટેક્સની મર્યાદા 2.5 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરવાનો સુજાવ આપ્યો છે. સૂત્રોનું માનીએ તો, ઇનકમ ટેક્સના વળતરની મર્યાદા વધારીને 5 લાખ રૂપિયા કરવાનું એલાન કર્યું હતું.

શું છે અપેક્ષાઓ
સૂત્રોનું માનીએ તો ઇનકમ ટેક્સ છૂટ મર્યાદા સીધી 5 લાખ સુધી કરવાની તૈયારી છે. આનો અર્થ એ કે ટેક્સ સ્લેબમાં બદલાવ કરવામાં આવી શકે છે. લોકસભાની ચૂંટણી પહેલાં રજૂ કરાયેલા બજેટમાં, 5 લાખ રૂપિયા સુધીના ટેક્સ સ્લેબથી બાકાત રાખવામાં આવ્યો હતો. જે લોકોની વાર્ષિક આવક રૂ. 6.5 લાખ રૂપિયા છે અને તેઓએ જીવન વીમા, પાંચ વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ અને અન્ય ટેક્સ બચતવાળી યોજનાઓ લીધી છે, તેમને પણ સંપૂર્ણ આવક પર છૂટ આપવાની વાત કહેવામાં આવી છે, પરંતુ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર થયો નથી.

ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર થયો નથી
બજેટમાં રૂ. 5 લાખ સુધીના ટેક્સસલેબ ઇનકમને ટેક્સ ફ્રી કરવામાં આવી, પરંતુ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર થયો નહીં. તેનો અર્થ એ છે કે 5 લાખ સુધીની વ્યક્તિગત આવક સંપૂર્ણપણે ટેક્સ મુક્ત થઇ ગઈ. બજેટમાં વ્યક્તિગત ટેક્સની છૂટ વધારીને 3 કરોડ કરદાતાઓને 18,500 કરોડ રૂપિયા સુધીનો કર લાભ મળશે. સેલરી ક્લાસ માટે સ્ટાન્ડર્ડ ડિડક્શનને 40,000 રૂપિયાથી વધારીને 50,000 રૂપિયા કરવામાં આવ્યા.
-
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
