GST Council Meeting : જીએસટી કાઉન્સિલની 49મી બેઠક બાદ જાણો શું સસ્તું થયું?
GST Council : કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમણે GST કાઉન્સિલની બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપી હતી.
GST Council Meeting : જીએસટી કાઉન્સિલની 49મી બેઠક શનિવારની સાંજે સમાપ્ત થઇ છે. આ દરમિયાન ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા હતા. પેટ્રોલિયમ પ્રોડક્ટને જીએસટી હેઠળમાં લવવા અંગે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમણના તાજેતરના નિવેદન ઘણા લોકો પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડો થવાની આશા રાખે છે, જે નઠારી નિવડી હતી.

જીએસટી કાઉન્સિલની મીટિંગમાં લિક્વિડ ગોળ, પેન્સિલ શાર્પનર અને કેટલાક ટ્રેકિંગ ઉપકરણો પર જીએસટી ઘટાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં આ ત્રણ વસ્તુ સસ્તી થઇ છે.

બાકી રકમની ચૂકવણી ટૂંક સમયમાં કરવામાં આવશે
આ ઉપરાંત વાર્ષિક રિટર્ન ફાઈલ કરવામાં વિલંબ માટે લેટ ફીને તર્કસંગત બનાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો. GSTકાઉન્સિલની બેઠક બાદ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમણે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેમણે બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશેમાહિતી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે, જૂન મહિનાના રૂપિયા 16,982 કરોડ સહિત જીએસટી વળતરની તમામ બાકી રકમ ટૂંક સમયમાંરાજ્યોને ચૂકવવામાં આવશે. સિતારામન ઉપરાંત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણાં પ્રધાનો અને વિવિધ વરિષ્ઠ અધિકારીઓએ પણઆ બેઠકમાં ભાગ લીધો હતો.

કરચોરી પર અંકુશ આવશે
નાણાં મંત્રીએ જણાવ્યું હતું કે, પાન મસાલા અને ગુટખા ઉદ્યોગમાં કરચોરી પર અંકુશ લગાવવામાં આવશે. આ માટે ઓડિશાના નાણાંમંત્રીની અધ્યક્ષતામાં રચાયેલા મંત્રીઓના જૂથ (GOM)નો અહેવાલ સ્વીકારવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, બેઠકમાં પેકિંગ પહેલાપ્રવાહી ગોળ પરનો GST 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પેન્સિલ શાર્પનર પર GST 12 ટકાથીઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.
કાઉન્સિલ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું છે કે, જો ટેગ-ટ્રેકિંગ ડિવાઇસ અથવા ડેટા લોગર જેવું ઉપકરણ પહેલેથી જ કન્ટેનર સાથેજોડાયેલું છે, તો તે ઉપકરણ પર કોઈ IGST વસૂલવામાં આવશે નહીં. નાણાં પ્રધાને જણાવ્યું હતું કે, GST કાઉન્સિલે નાણાકીય વર્ષ2022-23 પછી રૂપિયા 20 કરોડનું ટર્નઓવર ધરાવતા રજિસ્ટર્ડ વ્યક્તિઓ માટે નિયત તારીખ બાદ વાર્ષિક GST રિટર્ન ફાઇલ કરવા માટેફોર્મ GSTR-9 લેટ ફીને તર્કસંગત બનાવવાનો નિર્ણય કર્યો છે.

5 કરોડનું ટર્નઓવર ધરાવતી વ્યક્તિ માટે એક દિવસની લેટ ફી 50 રૂપિયા
નાણાકીય વર્ષમાં રૂપિયા 5 કરોડનું ટર્નઓવર ધરાવતી વ્યક્તિ માટે એક દિવસની લેટ ફી રૂપિયા 50 છે, જે ટર્નઓવરના મહત્તમ 0.04ટકાને આધિન છે. 5 કરોડથી 20 કરોડ રૂપિયાનો બિઝનેસ ધરાવતી વ્યક્તિ માટે લેટ ફી 100 રૂપિયા પ્રતિ દિવસ હશે. આ પણ કુલબિઝનેસના 0.04 ની નીચે છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
