Hallmark Certification : ઘરમાં છે સોનાના જૂના ઘરેણા? તો તાત્કાલિક કરી લો આ કામ, નહીંતર થઇ જશે નુકસાન
Hallmark Certification : ભારતમાં લોકો આજથી નહીં પણ વર્ષો પહેલાથી સોનું ખરીદવું શુભ માને છે. આ સાથે સોનાની ખરીદી માટે શ્રેષ્ઠ સમય ગુરુ પુષ્ય નક્ષત્રનો છે, જેનો ઉલ્લેખ શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યું છે.
ભારતમાં એવું ઘર ભાગ્યે જ મળશે, જેમાં સ્ત્રી પાસે અથવા ઘરમાં સોનાના ઘરેણા ન હોય. આવામાં આ ઘરેણા તેમના પરિવારની યાદો અને લાગણી સાથે જોડાયેલા હોવાથી તે સોનાના ઘરેણા વેચી શકતા નથી.

આંકડા મુજબ, ભારતીય મહિલાઓ પાસે વિશ્વના મોટા દેશો કરતાં વધુ સોનું છે, પરંતુ 1 એપ્રિલ, 2023 થી, કેન્દ્ર સરકારે દેશમાં સોનાના દાગીનાની ખરીદી અને વેચાણ માટેના નિયમોમાં કેટલાક ફેરફારો કર્યા છે, જે જાણતા નથી કે ભવિષ્યમાં તમારા ઘરમાં રાખેલા સોનાના વેચાણમાં સમસ્યા ઊભી થઈ શકે છે.
જૂના દાગીના વેચવામાં આવી શકે છે મુશ્કેલી - કેન્દ્ર સરકારના આ નિર્ણયની સૌથી વધુ અસર તે ઘરેણા પર પડશે, જે જૂના થઈ ગયા છે. હકીકતમાં કેન્દ્ર સરકારે 1 એપ્રિલ, 2023થી હોલમાર્કિંગ ફરજિયાત બનાવ્યું છે, જેના પછી તમે દેશમાં ક્યાંય પણ હોલમાર્ક વિના ઘરેણાં ખરીદી અથવા વેચી શકતા નથી. કેન્દ્ર સરકારના આ નિર્ણય બાદ જે લોકો પાસે નોન હોલમાર્ક વાળા ઘરેણા છે, તેમની માટે વધુ મુશ્કેલી આવી શકે છે.
શું છે હોલમાર્કનો ફાયદો? - વાસ્તવમાં બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) નો લોગો હોલમાર્કવાળા દાગીના પર લગાવવામાં આવે છે, જેના પર માહિતી પણ આપવામાં આવે છે કે, તે સોનાના દાગીના કેટલા કેરેટ છે. 24 કેરેટ સોનું સૌથી શુદ્ધ માનવામાં આવે છે, એટલે કે આ દાગીનામાં કોઈપણ પ્રકારની ભેળસેળ નહિવત છે અને તેથી જ આવા સોનાની કિંમત મોંઘી છે. જોકે, આ 24 કેરેટ સોનું જલ્દી તૂટવાની સમસ્યા આવી શકે છે.
સામાન્ય રીતે દેશમાં લોકો 18 થી 22 કેરેટ સોનું બનાવે છે, જેની કિંમત થોડી ઓછી છે. કારણ કે, તેમાં અમુક ટકા ભેળસેળ કરવામાં આવે છે. જો જ્વેલરી હોલમાર્કવાળી હશે, તો જ્વેલર્સ ગ્રાહકો સાથે સરળતાથી છેતરપિંડી કરી શકશે નહીં.
હોલમાર્ક ન હોય તો શું કરવું? - BIS ના નિયમો અનુસાર, જો કોઈ વ્યક્તિ પાસે આવા દાગીના હોય, જેમાં હોલમાર્ક લોગો ન હોય, તો તમારે તેને વેચતા પહેલા તેને હોલમાર્ક કરાવવું પડશે. આના વિના હવે તમે દેશમાં ન તો સોનું ખરીદી શકશો અને ન તો વેચી શકશો.
તમારી પાસે એકમાત્ર વિકલ્પ છે કે, જ્વેલરીને હોલમાર્ક કરાવો. આ માટે તમારે 45 રૂપિયા પ્રતિ પીસ ચાર્જ ચૂકવવો પડશે. તમારે BIS લેબમાં જઈને તમારી જ્વેલરી હોલમાર્ક કરાવવી પડશે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
