દેવું વધી ગયું છે? ક્રેડિટ કાઉન્સેલિંગ આપને ઉગારી શકશે
દેવું કોઇ પણ વ્યક્તિને ટેન્શન આપી શકે છે. આ કારણે દેવું વધી ગયું હોય તેવી વ્યક્તિઓ હંમેશા દેવાને ઘટાડવા માટે મથામણ કરતી રહે છે. આ મથામણમાં કોઇ ઉપાય નહીં મળતા કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિ આત્મહત્યા કરવા તરફ દોરાય છે. આવી સ્થિતિને હળવી બનાવવા હવે ઘણા લોકો ક્રેડિટ કાઉન્સેલિંગની મદદ લઇ રહ્યા છે.
ક્રેડિટ કાઉન્સેલિંગ શું છે? તે કેવી રીતે મદદ કરે છે તે જાણવા આગળ ક્લિક કરો...

ક્રેડિટ કાઉન્સેલિંગનો લાભ કોને મળી શકે?
ક્રેડિટ કાઉન્સેલિંગનો લાભ એવી વ્યક્તિઓને મળી શકે છે જેમણે બેંકમાંથી ધિરાણ લીધું હોય છે. આ ધિરાણ પર્સનલ લોન, વ્હીકલ લોન, હોમ લોન, ક્રેડિટ કાર્ડ અને એમએસઇ સેક્ટર જેમાં ધિરાણ રૂપિયા 50 લાખથી વધારે ના હોય તેવી વ્યક્તિઓને મળી શકે છે.

કોણે ક્રેડિટ કાઉન્સેલિંગનો લાભ લેવો જોઇએ?
બેંકો એવી વ્યક્તિઓને ક્રેડિટ કાઉન્સેલિંગ માટે પ્રોત્સાહિત કરે છે જેમના લોન એકાઉન્ટ નાદાર થયા હોય. આવી વ્યક્તિ ક્રેડિટ કાઉન્સેલિંગ માટે અરજી કરી શકે છે. આવી વ્યક્તિઓએ BCSBIનો સંપર્ક સાધીને તેનું અરજી પત્રક ભરીને સંપર્ક સાધવાનો હોય છે.

ક્રેડિટ કાઉન્સેલિંગ ફ્રી ઓફ ચાર્જ છે
ક્રેડિટ કાઉન્સેલિંગ ફ્રી ઓફ ચાર્જ છે. એટલે વ્યક્તિએ આ માટે કોઇ રકમ ચૂકવવી પડતી નથી. ક્રેડિટ કાઉન્સિલર્સ બેંક કે દેવાદાર વ્યક્તિ પાસેથી મળેલી વિગતોને ગુપ્ત રાખે છે. આ પ્રક્રિયા અત્યંત ઝડપી હોય છે. આ માટે દરેક બેંકમાં એક નોડલ ઓફિસર હોય છે.

ક્રેડિટ કાઉન્સેલિંગમાં કેવી સેવા આપાવમાં આવે છે?
ક્રેડિટ કાઉન્સેલિંગ લેનાર વ્યક્તિને જરૂર હોય તો ડેબ્ટ રિસ્ટ્રક્ચરિંગ કરી આપવામાં આવે છે. આ પ્લાન જે તે બેંક સાથે ચર્ચા કર્યા બાદ તૈયાર કરવામાં આવે છે. જો કે બેંક તેનો સ્વીકાર કરે છે કે નહીં તેનો નિર્ણય બેંક લેતી હોય છે. બેંક તેમાં પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફેરફાર પણ કરાવી શકે છે.

ક્રેડિટ કાઉન્સેલિંગ ક્યાં થાય છે?
ક્રેડિટ કાઉન્સેલિંગ નીચેના સરનામા પર સવારે 10થી સાંજે 5.30 દરમિયાન થાય છે. આ સેવા સોમવારથી શુક્રવાર સુધી ઉપલબ્ધ હોય છે.
સરનામુ :
બેંકિંગ કોડ્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ બોર્ડ્સ ઓફ ઇન્ડિયા
C-7, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બિલ્ડિંગ,
બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ, બાંદ્રા (ઇસ્ટ),
મુંબઇ - 400 051. મહારાષ્ટ્ર.
ફોન નંબર : 022-2657 1105
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
ઈરાન વોરમાં અમેરિકા એકલું પડ્યું, સાથી દેશોએ સૈન્ય મદદ કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો -
MI vs KKR: મુંબઈએ કોલકાતાને 6 વિકેટે હરાવ્યું, રોહિત શર્માની તોફાની બેટિંગ -
આજથી ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદ જોવા મળશે






Click it and Unblock the Notifications
