દેવું વધી ગયું છે? ક્રેડિટ કાઉન્સેલિંગ આપને ઉગારી શકશે
દેવું કોઇ પણ વ્યક્તિને ટેન્શન આપી શકે છે. આ કારણે દેવું વધી ગયું હોય તેવી વ્યક્તિઓ હંમેશા દેવાને ઘટાડવા માટે મથામણ કરતી રહે છે. આ મથામણમાં કોઇ ઉપાય નહીં મળતા કેટલાક કિસ્સાઓમાં વ્યક્તિ આત્મહત્યા કરવા તરફ દોરાય છે. આવી સ્થિતિને હળવી બનાવવા હવે ઘણા લોકો ક્રેડિટ કાઉન્સેલિંગની મદદ લઇ રહ્યા છે.
ક્રેડિટ કાઉન્સેલિંગ શું છે? તે કેવી રીતે મદદ કરે છે તે જાણવા આગળ ક્લિક કરો...

ક્રેડિટ કાઉન્સેલિંગનો લાભ કોને મળી શકે?
ક્રેડિટ કાઉન્સેલિંગનો લાભ એવી વ્યક્તિઓને મળી શકે છે જેમણે બેંકમાંથી ધિરાણ લીધું હોય છે. આ ધિરાણ પર્સનલ લોન, વ્હીકલ લોન, હોમ લોન, ક્રેડિટ કાર્ડ અને એમએસઇ સેક્ટર જેમાં ધિરાણ રૂપિયા 50 લાખથી વધારે ના હોય તેવી વ્યક્તિઓને મળી શકે છે.

કોણે ક્રેડિટ કાઉન્સેલિંગનો લાભ લેવો જોઇએ?
બેંકો એવી વ્યક્તિઓને ક્રેડિટ કાઉન્સેલિંગ માટે પ્રોત્સાહિત કરે છે જેમના લોન એકાઉન્ટ નાદાર થયા હોય. આવી વ્યક્તિ ક્રેડિટ કાઉન્સેલિંગ માટે અરજી કરી શકે છે. આવી વ્યક્તિઓએ BCSBIનો સંપર્ક સાધીને તેનું અરજી પત્રક ભરીને સંપર્ક સાધવાનો હોય છે.

ક્રેડિટ કાઉન્સેલિંગ ફ્રી ઓફ ચાર્જ છે
ક્રેડિટ કાઉન્સેલિંગ ફ્રી ઓફ ચાર્જ છે. એટલે વ્યક્તિએ આ માટે કોઇ રકમ ચૂકવવી પડતી નથી. ક્રેડિટ કાઉન્સિલર્સ બેંક કે દેવાદાર વ્યક્તિ પાસેથી મળેલી વિગતોને ગુપ્ત રાખે છે. આ પ્રક્રિયા અત્યંત ઝડપી હોય છે. આ માટે દરેક બેંકમાં એક નોડલ ઓફિસર હોય છે.

ક્રેડિટ કાઉન્સેલિંગમાં કેવી સેવા આપાવમાં આવે છે?
ક્રેડિટ કાઉન્સેલિંગ લેનાર વ્યક્તિને જરૂર હોય તો ડેબ્ટ રિસ્ટ્રક્ચરિંગ કરી આપવામાં આવે છે. આ પ્લાન જે તે બેંક સાથે ચર્ચા કર્યા બાદ તૈયાર કરવામાં આવે છે. જો કે બેંક તેનો સ્વીકાર કરે છે કે નહીં તેનો નિર્ણય બેંક લેતી હોય છે. બેંક તેમાં પોતાની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફેરફાર પણ કરાવી શકે છે.

ક્રેડિટ કાઉન્સેલિંગ ક્યાં થાય છે?
ક્રેડિટ કાઉન્સેલિંગ નીચેના સરનામા પર સવારે 10થી સાંજે 5.30 દરમિયાન થાય છે. આ સેવા સોમવારથી શુક્રવાર સુધી ઉપલબ્ધ હોય છે.
સરનામુ :
બેંકિંગ કોડ્સ એન્ડ સ્ટાન્ડર્ડ્સ બોર્ડ્સ ઓફ ઇન્ડિયા
C-7, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બિલ્ડિંગ,
બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ, બાંદ્રા (ઇસ્ટ),
મુંબઇ - 400 051. મહારાષ્ટ્ર.
ફોન નંબર : 022-2657 1105
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી






Click it and Unblock the Notifications
