PM Kisan યોજનાના રૂ. 2 હજાર રૂપિયા નહીં મેળવી શકો, જો આ દસ્તાવેજો નથી તો
સરકારે ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજનાનો પ્રથમ હપ્તો ખેડૂતોના ખાતામાં નાખવાની તૈયારી શરૂ કરી દીધી છે.
સરકારે ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજનાનો પ્રથમ હપ્તો ખેડૂતોના ખાતામાં નાખવાની તૈયારી શરૂ કરી દીધી છે. પરંતુ તે 2000 રૂપિયાનો પ્રથમ હપતો ખેડૂતો ને ત્યારે જ મળશે, જ્યારે ખેડૂતો કેટલાક દસ્તાવેજો આપશે. જો ખેડૂતો પાસે તે દસ્તાવેજ નહીં હોય તો તે આ યોજનાનો લાભ લઇ શકશે નહિ. આ યોજના હેઠળ, સરકાર દેશભરમાં બે એકર જમીનના માલિક ખેડૂતોને એક વર્ષમાં 6000 રૂપિયા આપશે. આ પૈસા એક વર્ષમાં ત્રણ હપ્તાઓમાં ખેડૂતોના બેંક ખાતાઓમાં જમા કરવામાં આવશે. સરકાર માર્ચમાં 2000 રૂપિયાનો પહેલો હપ્તો ખેડૂતોને આપશે.
આ પણ વાંચો: Budget 2019: 10.5 લાખની વાર્ષિક આવક પણ થશે ટેક્સ ફ્રી, આ છે કેલ્ક્યુલેશન

બેંક એકાઉન્ટ નંબર અને મોબાઇલ નંબર એકત્રિત કરવા માટે કહ્યું
પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજનાના સંબંધમાં, કૃષિ મંત્રાલયે રાજ્ય સરકારોને મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે તેઓએ નાના અને સીમાંત ખેડૂતોના ડેટાબેઝ તૈયાર કરવા. રાજ્યોના આવા ખેડૂતોની વિગતોમાં તેઓને તેમના નામ, સ્ત્રી છે કે પુરૂષ, એસસી-એસટી, બેંક એકાઉન્ટ નંબર અને મોબાઇલ નંબર એકત્રિત કરવા માટે કહેવામાં આવ્યું છે.

આધાર (AADHAAR) નંબર
સત્તાવાર દસ્તાવેજો અનુસાર, પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજના હેઠળ રૂ. 2 હજારનો પ્રથમ હપતો મેળવવા માટે આધાર (AADHAAR) ફરજિયાત રહેશે નહીં, પરંતુ પછીના હપતા માટે આધાર (AADHAAR) આપવો જ પડશે. ખેડૂતોની ઓળખ માટે આધાર (AADHAAR) ને જરૂરી બનાવવામાં આવી રહ્યો છે.

આ દસ્તાવેજો પણ જરૂર છે
પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજના વિશે રાજ્ય સરકારોને કહેવામાં આવ્યું છે કે ડિસેમ્બર 2018 થી માર્ચ 2019 સુધીના સમયગાળાનો હપતો મેળવવા માટે આધાર નંબર જ્યાં ઉપલબ્ધ હશે, તે જ લેવામાં આવશે. જો કોઈ આધાર ન હોય તો, અન્ય વૈકલ્પિક દસ્તાવેજો, જેમ કે ડ્રાઇવિંગ લાયસન્સ (ડીએલ), મતદાર આઈડી, એનઆરજીએએ એમ્પ્લોયમેન્ટ કાર્ડ (નરેગા રોજગાર કાર્ડ) કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા અન્ય ઓળખપત્રના આધારે નાના ખેડૂતોને પ્રથમ હપતા આપવામાં આવશે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી











Click it and Unblock the Notifications
