PM Kisan યોજનાના રૂ. 2 હજાર રૂપિયા નહીં મેળવી શકો, જો આ દસ્તાવેજો નથી તો
સરકારે ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજનાનો પ્રથમ હપ્તો ખેડૂતોના ખાતામાં નાખવાની તૈયારી શરૂ કરી દીધી છે.
સરકારે ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજનાનો પ્રથમ હપ્તો ખેડૂતોના ખાતામાં નાખવાની તૈયારી શરૂ કરી દીધી છે. પરંતુ તે 2000 રૂપિયાનો પ્રથમ હપતો ખેડૂતો ને ત્યારે જ મળશે, જ્યારે ખેડૂતો કેટલાક દસ્તાવેજો આપશે. જો ખેડૂતો પાસે તે દસ્તાવેજ નહીં હોય તો તે આ યોજનાનો લાભ લઇ શકશે નહિ. આ યોજના હેઠળ, સરકાર દેશભરમાં બે એકર જમીનના માલિક ખેડૂતોને એક વર્ષમાં 6000 રૂપિયા આપશે. આ પૈસા એક વર્ષમાં ત્રણ હપ્તાઓમાં ખેડૂતોના બેંક ખાતાઓમાં જમા કરવામાં આવશે. સરકાર માર્ચમાં 2000 રૂપિયાનો પહેલો હપ્તો ખેડૂતોને આપશે.
આ પણ વાંચો: Budget 2019: 10.5 લાખની વાર્ષિક આવક પણ થશે ટેક્સ ફ્રી, આ છે કેલ્ક્યુલેશન

બેંક એકાઉન્ટ નંબર અને મોબાઇલ નંબર એકત્રિત કરવા માટે કહ્યું
પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજનાના સંબંધમાં, કૃષિ મંત્રાલયે રાજ્ય સરકારોને મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે તેઓએ નાના અને સીમાંત ખેડૂતોના ડેટાબેઝ તૈયાર કરવા. રાજ્યોના આવા ખેડૂતોની વિગતોમાં તેઓને તેમના નામ, સ્ત્રી છે કે પુરૂષ, એસસી-એસટી, બેંક એકાઉન્ટ નંબર અને મોબાઇલ નંબર એકત્રિત કરવા માટે કહેવામાં આવ્યું છે.

આધાર (AADHAAR) નંબર
સત્તાવાર દસ્તાવેજો અનુસાર, પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજના હેઠળ રૂ. 2 હજારનો પ્રથમ હપતો મેળવવા માટે આધાર (AADHAAR) ફરજિયાત રહેશે નહીં, પરંતુ પછીના હપતા માટે આધાર (AADHAAR) આપવો જ પડશે. ખેડૂતોની ઓળખ માટે આધાર (AADHAAR) ને જરૂરી બનાવવામાં આવી રહ્યો છે.

આ દસ્તાવેજો પણ જરૂર છે
પ્રધાનમંત્રી ખેડૂત સન્માન નિધિ (PM Kisan Samman Nidhi) યોજના વિશે રાજ્ય સરકારોને કહેવામાં આવ્યું છે કે ડિસેમ્બર 2018 થી માર્ચ 2019 સુધીના સમયગાળાનો હપતો મેળવવા માટે આધાર નંબર જ્યાં ઉપલબ્ધ હશે, તે જ લેવામાં આવશે. જો કોઈ આધાર ન હોય તો, અન્ય વૈકલ્પિક દસ્તાવેજો, જેમ કે ડ્રાઇવિંગ લાયસન્સ (ડીએલ), મતદાર આઈડી, એનઆરજીએએ એમ્પ્લોયમેન્ટ કાર્ડ (નરેગા રોજગાર કાર્ડ) કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા રજૂ કરાયેલા અન્ય ઓળખપત્રના આધારે નાના ખેડૂતોને પ્રથમ હપતા આપવામાં આવશે.
-
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં હીટવેવનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી












Click it and Unblock the Notifications
