ભારતમાં ગોલ્ડ ઇટીએફ કેવી રીતે અને ક્યાંથી ખરીદી શકાય?
અનેક રોકાણકારો ગોલ્ડ ઇટીએફ અને ફિઝિકલ ગોલ્ડની ખરીદીમાં શું તફાવત છે અને શું લાભ છે તે જાણવા લાગ્યા છે. રોકાણ કરીને નફો મેળવવા માટે ફિઝિકલ ગોલ્ડની સરખામણીમાં ગોલ્ડ ઇટીએફ વધારે ફાયદાકારી સાબિત થાય છે.
સોનાના સિક્કા અને બાર ખરીદવાની સરખામણીમાં તેમાં ચોરાવાનું, ખોવાઇ જવાનું, તેને વ્યવસ્થિત જગ્યાએ મૂકવાનું કોઇ જોખમ રહેતું નથી. આ ઉપરાંત જો આપ તેની સુરક્ષા માટે તેને લોકરમાં મૂકતા હોવ તો આપે લોકર રેન્ટલ આપવાની પણ જરૂર પડતી નથી. આ કારણે ગોલ્ડ ઇટીએફની ખરીદી કરવી હંમેશા ફાયદાકારક સાબિત થાય છે.

ગોલ્ડ ઇટીએફ વ્યક્તિને સોનામાં રોકાણ કરવા માટે સોનાને ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ખરીદવાની છૂટ આપે છે. વળી ગોલ્ડ ઇટીએફ સોનાના ભાવોને ટ્રેક કરતા હોવાથી જ્યારે પણ આપ ખરીદ વેચાણ કરો તો આપને એક્ઝેટ ગોલ્ડ પ્રાઇસ મળે છે.
ગોલ્ડ ઇટીએફ કેવી રીતે અને ક્યાંથી ખરીદી શકાય?
ગોલ્ડ ઇટીએફ આપ સ્ટોક એક્સચેન્જમાંથી શેર્સ ખરીદો છો તેવી જ રીતે ખરીદી શકાય છે. જેવી રીતે સ્ટોક એક્સચેન્જમાંથી સોનાની ખરીદી અને વેચાણ કરવા માટે આપે શેર બ્રોકર પાસે ટ્રેડિંગ અને ડિમેટ એકાઉન્ટ ખોલાવવું જરૂરી છે. તેવી રીતે બ્રોકર પાસે ગોલ્ડ ઇટીએફ માટે પણ ખાતું ખોલાવી શકાય છે.
અત્યારે ગોલ્ડ ઇટીએફ ખરીદી શકાય?
આપે અત્યારે ગોલ્ડ ઇટીએફ ખરીદવું જોઇએ કે નહીં તેનો નિર્ણય ભવિષ્યમાં સોનાના ભાવ કેટલા થવાના છે તેના આધારે લેવો જોઇએ. વર્ષ 2013માં સોનાએ નેગેટિવ રિટર્ન આપ્યું હતું. જ્યારે વર્ષ 2014માં તે ફ્લેટ રહ્યો હતો. છેલ્લા બે વર્ષમાં ગોલ્ડ ઇટીએફમાં ખાસ નફો મળ્યો નથી કારણ કે શેરબજારમાં 30 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે.કેટલાક લોકોનું માનવું છે કે સોનાની કિંમતોમાં ઘટાડો થયો છે ત્યારે બે ત્રણ વર્ષના રોકાણનો ટાર્ગેટ રાખીને ખરીદી કરી શકાય છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
