ભારતનો કોરોના સંકટ વચ્ચે GDP ગ્રોથ રેટ 8.3 ટકા યથાવત, વૈશ્વિક સ્તરે અર્થતંત્ર ઘટશે
ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની દસ્તક વચ્ચે, વિશ્વ બેંકે નાણાકીય વર્ષ 2022 માટે ભારતનો GDP વૃદ્ધિ દર 8.3 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. આવા સમયે વિશ્વ બેંકે વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં ઘટાડો થવાની આગાહી કરી છે.
નવી દિલ્હી : ભારતમાં કોરોનાની ત્રીજી લહેરની દસ્તક વચ્ચે, વિશ્વ બેંકે નાણાકીય વર્ષ 2022 માટે ભારતનો GDP વૃદ્ધિ દર 8.3 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે. આવા સમયે વિશ્વ બેંકે વૈશ્વિક આર્થિક વૃદ્ધિમાં ઘટાડો થવાની આગાહી કરી છે. વિશ્વ બેંક અનુસાર, 2021માં વૈશ્વિક આર્થિક વૃદ્ધિ 5.5 ટકા હતી, જે 2022માં ઘટીને 4.1 ટકા અને 2023માં 3.2 ટકા થઈ જશે.
વર્લ્ડ બેંકે ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પેક્ટસ રિપોર્ટ જાહેર કર્યો છે
ઉલ્લેખનીય છે કે, મંગળવારના રોજ વિશ્વ બેંકના વોશિંગ્ટન સ્થિત મુખ્યાલયે મંગળવારના રોજ ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પેક્ટસ રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં અનુમાનલગાવવામાં આવ્યું છે કે, કોરોના મહામારીના કારણે વૈશ્વિક સ્તરે અર્થવ્યવસ્થામાં ઘટાડો થશે, જ્યારે ભારતનો GDP વૃદ્ધિ દર ઘટશે, હાલ 8.3 ટકા છે.
ચાલુ રહેશેભારતનો વાર્ષિક વિકાસ ચાલુ નાણાકીય વર્ષમાં 8.3 ટકા, 2022-23માં 8.7 ટકા અને 2023-24માં 6.8 ટકા રહેવાનો અંદાજ છે.
ચીનની અર્થવ્યવસ્થા ભારત કરતા નબળી રહેશે
ભારત સિવાય વિશ્વ બેંકે અમેરિકા, યુરોપિયન યુનિયન, ચીન અને જાપાન સહિત વિશ્વની લગભગ તમામ મોટી અર્થવ્યવસ્થાઓ માટે અંદાજો જાહેર કર્યા છે.
આરિપોર્ટમાં વર્લ્ડ બેંકે ચીનની અર્થવ્યવસ્થાના ધીમા રીડિંગની આગાહી કરી છે. વિશ્વ બેંકે નાણાકીય વર્ષ 2022 માટે ચીનના જીડીપી વૃદ્ધિ દરનું અનુમાન 8.5 ટકાથીઘટાડીને 8 ટકા કર્યું છે.
આ ઉપરાંત નાણાકીય વર્ષ 2023 અને નાણાકીય વર્ષ 2024માં વિશ્વ બેંકે ચીનના આર્થિક વિકાસ દરમાં વધુ મંદીની આગાહી કરી છે અને તેઅનુક્રમે 5.1 ટકા અને 5.3 ટકા રહેશે.
ઓમિક્રોન વેરિઅન્ટને કારણે વૈશ્વિક અર્થતંત્ર મંદી તરફ આગળ વધી રહ્યું છે
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે 2020માં વૈશ્વિક અર્થવ્યવસ્થા પાટા પરથી ઉતરી ગયા બાદ 2021માં સ્થિતિ થોડી સુધરવા લાગી હતી, પરંતુ કોરોનાનાનવા પ્રકાર ઓમિક્રોનના દસ્તક બાદ ફરીથી વૈશ્વિક અર્થવ્યવસ્થા મંદી તરફ આગળ વધી રહી છે.
વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ફુગાવો, દેવું અને આવકની અસમાનતામાંવધારો, કોરોનાના નવા પ્રકારોને કારણે નાણાકીય અને નાણાકીય સહાયની સમાપ્તિ જેવી સમસ્યાઓએ અર્થવ્યવસ્થાની પુનઃપ્રાપ્તિની શક્યતાઓને ખતમ કરી દીધી છે.