દરરોજ રૂ. 2,200 કરોડ વધી ભારતના અમીરોની સંપત્તિ
ભારતના અમીરોની સંપત્તિ ગયા વર્ષે દરરોજ રૂ. 2,200 કરોડ વધી છે. વર્ષ 2018 માં, એક ટકા અમીર 39 ટકા વધુ અમીર થયા
ભારતના અમીરોની સંપત્તિ ગયા વર્ષે દરરોજ રૂ. 2,200 કરોડ વધી છે. વર્ષ 2018 માં, એક ટકા અમીર 39 ટકા વધુ અમીર થયા, જ્યારે આર્થિક રીતે નબળા લોકોની સંપત્તિ માત્ર ત્રણ ટકા વધી હતી. ઑક્સફૅમ દ્વારા સોમવારે પ્રકાશિત થયેલા અભ્યાસ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.
આ પણ વાંચો: મોદી સરકારના સાડા ચાર વર્ષના કાર્યકાળમાં દેશ પર 49% દેવું વધ્યું

વર્લ્ડ ઇકોનોમિક ફોરમની રિપોર્ટ
તમને જણાવી દઈએ કે વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) વાર્ષિક પાંચ દિવસની બેઠક પહેલાં રજૂ થયેલા વાર્ષિક અભ્યાસ મુજબ ગ્લોબલ સ્તર પર વર્ષ 2018 માં અમીરોની સંપત્તિમાં દરરોજ 12 ટકા અથવા 2.5 અબજ ડૉલરનો વધારો થયો છે, જ્યારે વિશ્વના સૌથી ગરીબ વિભાગના લોકોની મિલકતમાં 11 ટકાનો ઘટાડો થયો છે.

દેવામાં ડૂબેલા ભારતીયો
ઓક્સફેમએ જણાવ્યું હતું કે 2004 થી 13.6 કરોડ ભારતીયો પહેલેથી જ દેવામાં ડૂબેલા છે. દેશની સૌથી ગરીબ વસ્તીમાં 13.6 કરોડની વસ્તી 10 ટકા છે. ઓક્સફેમએ કહ્યું હતું કે અમીરી-ગરીબી વચ્ચે વધતો જતો આ તફાવત ગરીબી વિરુદ્ધ લડાઈને કમજોર, અર્થવ્યવસ્થા વેડફવા અને પર્યટનમાં લોકોનો ગુસ્સો વધારી રહી છે.

અપમાનજનક સ્થિતિ
ઓક્સફોમ ઇન્ટરનેશનલ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનુસાર નૈતિક રૂપથી તે ખુબ અપમાનજનક છે કે મુઠ્ઠીભર અમીર લોકો ભારતની સંપત્તિમાં તેમની હિસ્સેદારી વધારતા જઈ રહ્યા છે, જયારે ગરીબ બે ટાઈમનું ભોજન અને બાળકોની દવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે શીર્ષ એક ટકા અને બાકી ભારત વચ્ચે આ અસમાનતા ચાલુ રહી તો, તેનાથી દેશનું સામાજિક અને લોકશાહી માળખું સંપૂર્ણપણે બગડી જશે.

સંપત્તિ થોડા લોકો સુધી મર્યાદિત રહી ગઈ છે
ઓક્સફેમે કહ્યું કે સંપત્તિ કેટલાક લોકો સુધી માર્યાદિત થઇ રહી છે. 26 લોકો પાસે એટલી મિલકત છે, જેટલી વિશ્વના 3.8 અબજ લોકો પાસે છે અને તે વિશ્વની સૌથી ગરીબ જનતાનું પ્રતિનિધિત્વ કરે છે. દેશની આશરે 10 પ્રતિ વસ્તી પાસે દેશની કુલ સંપત્તિ પૈકી 77.4 ટકા હિસ્સો છે. જ્યારે દેશના એક ટકા લોકો દેશની કુલ સંપત્તિમાં 51.53 ટકા હિસ્સો ધરાવે છે.












Click it and Unblock the Notifications
