IRCTC: આ ટિકિટ બુકિંગ પર મફત મળશે 50 લાખ સુધીનો ટ્રાવેલ ઈન્સ્યોરન્સ
IRCTCની વેબસાઈટથી એર ટિકિટ બુક કરાવા પર મુસાફરોને 50 લાખ રૂપિયા સુધીનો ફ્રી ટ્રાવેલ ઈન્સ્યોરન્સ મળી શકે છે.
IRCTC દ્વારા ટિકિટ બુકિંગ કરાવા પર વીમો મફત મળશે. જી હાં, તમને જણાવી દઈએ કે IRCTCની વેબસાઈટથી એર ટિકિટ બુક કરાવા પર મુસાફરોને 50 લાખ રૂપિયા સુધીનો ફ્રી ટ્રાવેલ ઈન્સ્યોરન્સ મળી શકે છે. જો કે આ માટે મુસાફરોએ IRCTCની સત્તાવાર વેબસાઈટના એર ટિકિટ સેક્શનમાંથી ટિકિટ બુક કરવી જરૂરી છે. IRCTCએ આ માટે ભારતી એક્સા જનરલ ઈન્સ્યોરન્સ કંપની સાથે ભાગીદારી કરી છે. જે મુસાફરોને ફ્રીમાં 50 લાખનો ઈન્સ્યોરન્સ આપે છે.
IRCTC પર આ રીતે કરો એર ટિકિટ બુકિંગ
- IRCTCની વેબસાઈટથી એર ટિકિટ બુક કરવાની રીત સરળ છે.
- આ માટે તમારે IRCTCની સત્તાવાર વેબસાઈટ ખોલવી પડશે, લોગ ઈન કરવું પડશે.
- હોમ પેજ પર ફ્લાઈટનો ઓપ્શન મળશે, જેના પર ક્લિક કરવાથી તમને વન વે કે રાઉન્ડ ટ્રિપનો વિકલ્પ મળશે.
- બાદમાં જવાની તારીખ, પાછા આવવાની તારીખ અને ટ્રાવેલ ઈકોનોમી જેવી માહિતી આપવી પડશે.
- તમામ માહિતી ભર્યા બાદ સર્ચના વિકલ્પ પર ક્લિક કરવાથી તમને ફ્લાઈટનું લિસ્ટ મળશે.
- અન્ય એક પેજ પર ફ્લાઈટની ડિટેઈલ્સ અ ભાડા અંગેની માહિતી મળશે.
- હવે તમે તમારી અનુકૂળતા પ્રમાણે સાઈન ઈન કરીને ટિકિટ બુક કરી શકો છો.
- બુકિંગ દરમિયાન મહત્વની વાત એ છે કે તમારા નામનો સ્પેલિંગ સહિતની માહિતી સાચ્ચી ભરો, કોઈ ભૂલ ન કરો
6 કલાક પહેલા કેન્સલ કરવી પડશે ટિકિટ
IRCTCની વેબસાઈટથી એર ટિકિટ બુક કરાવવા પર પેમેન્ટ માટે એક કરતા વધારે ઓપ્શન મળશે. ઈન્સ્યોરન્સ ઉપરાંત IRCTC શિરડી ફ્લાઈટ પેકેજ, અંદમાન ફ્લાઈટ પેકેજ કે યુએસ પેકેજ પણ આપે છે. અહીં મસાફરોને ઘણી સારી ઓફર્સ મળી રહી છે. જો કોઈ કારણસર તમારે ટિકિટ કેન્સલ કરવી પડે તો ફ્લાઈટ ટેક ઓફ થવાના 6 કલાક પહેલા કેન્સલેશન કરવું ફરજિયાત છે. કેન્સલેશન પર IRCTC મુસાફરો પાસેથી ટિકિટ પર 250 રૂપિયા વધારાનો ચાર્જ વસુલ કરશે. અને રિફંડ તમને 7 દિવસમાં મળશે.
આ પણ વાંચોઃ કુશલ પંજાબીની પત્ની મોઢુ ઢાંકી શોકસભામાં આવી, જુઓ વીડિયો