આનંદો! સબસિડીવાળા સિલિન્ડરમાં થઇ શકે છે વધારો

લોકસભામાં શુક્રવારે પ્રશ્નકાળ દરમિયાન બધી જ પાર્ટીઓના સાંસદોએ સબસિડીવાળા સિલિન્ડરોની સંખ્યા વધારવાની માંગ કરી છે. લોકસભામાં વિપક્ષી નેતા સુષમા સ્વરાજે જણાવ્યું કે એલપીજીને લઇને આખા દેશમાં હોબાળો મચ્યો છે. માટે સરકારે આના પર ફરીથી વિચાર કરવો જોઇએ. તૃણમૂલ કોંગ્રેસના સભ્યોએ તો સબસિડીવાળા ગેસ સિલિન્ડરની સંખ્યા 24 સુધી કરી નાખવા માગ કરી દીધી હતી.
આ અંગે પેટ્રોલિયમ મંત્રી એમ. વીરપ્પા મોઇલીએ જણાવ્યું કે સરકાર આના પર જરૂર વિચાર કરશે. તેમણે એમ પણ જણાવ્યું કે આ અંગે એક-બે દિવસમાં આ અંગે કોઇ નિર્ણય લેવાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે જેના પગલે કોંગ્રેસ ભાવમાં ઘટાડો અને બાટલામાં વધારો કરી રહી હોય તેવું લાગે છે.












Click it and Unblock the Notifications
