મોંઘા રિચાર્જ પ્લાનની અસર, મંથલી રિચાર્જ કરાવી રહ્યા છે યૂઝર્સ
મોંઘા રિચાર્જ પ્લાનની અસર, મંથલી રિચાર્જ કરાવી રહ્યા છે યૂઝર્સ
નવી દિલ્હીઃ મોબાઈલ યૂઝર્સ પોતાના પ્લાન હવે મંથલી રિચાર્જ કરાી રહ્યા છે. ટેલીકોમ કંપનીઓના ટેરિફમાં વધારા બાદ પ્રીપેડ ગ્રાહકોએ 40 ટકા વધુ કિંમત ચૂકવવી પડી રહી છે. એવામાં મોટાભાગના ગ્રાહકો લાબા સમયના પ્રીપેડ પ્લાન્સને બદલે મંથલી પ્લાન્સથી રિચાર્જ કરાવી રહ્યા છે. કસ્ટમર્સને સિમ પોર્ટ કરાવવામાં પણ આસાની થશે કેમ કે તેઓ કોઈપણ ઓપરેટરની સેવા લેવા માટે એક મહિનાથી વધુ સમય માટે બંધાયેલા નહિ રહે. આ કારણે જ એરટેલ અને જિયો પોતાના 12 મહિનાના રિચાર્જ પ્લાન પર ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે.

બીજા દેશોની સરખામણીએ ભારતમાં હજી પણ ઓછું બિલ
જણાવી દઈએ કે મુંબઈ આધારિત એરટેલના એક ડિસ્ટ્રીબ્યૂટરે જણાવ્યું કે જે કસ્ટમર્સ 300 રૂપિયા આપી 84 દિવસ માટે મોબાઈલ રિચાર્જ કરાવતા હતા, તેઓ હવે એક મહિનાના પ્લાનથી રિચાર્જ કરાવી રહ્યા છે. કેમ કે 500 રૂપિયાથી વધુ કિંમત ચૂકવવી તેમના માટે અઘરી છે. આવી રીતે જ ગ્રાહકોને નવા ટેરિફની અસર સમજવામાં કેટલાક મહિના લાગી જશે. જણાવી દઈએ કે ફોન કંપનીઓના લૉબી ગ્રુપનું કહેવું છે કે ભારતમાં બિલ હજી પણ બીજા દેશોથી ઓછું છે. સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઑફ ઈન્ડિયાના ડાયરેક્ટર જનરલ મુજબ એક દશકા પહેલા ભારતીય કસ્ટમર મોબાઈલ ફોન પર પોતાની વાર્ષિક આવકના 6 ટકા ભાગ ખર્ચ કરતો હતો. હવે આ ઘટીને એક ટકાથી પણ ઓછો થઈ ગયો છે.

આર્થિક સંકટથી બહાર આવવા કંપનીઓએ ભાવ વધાર્યા
જણાવી દઈએ કે વ્યાજના ભાર હેઠળ દબાયેલી ટેલીકોમ કંપનીઓએ આ મહિનાની શરૂઆતમાં ટેરિફ પ્લાન વધાર્યા હતા, જેથી કરીને તેઓ આર્થિક સંકટથી બહાર આવી શકે. અજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ વિશે ઓક્ટોબરમાં સુપ્રીમ કોર્ટે જે ફેસલો આપ્યો હતો તે બાદ ટેલીકોમ કંપનીઓ પર 1.47 લાખ કરોડ રૂપિયાનું દેવું બની રહ્યું છે, જે તેમણે 24 જાન્યુઆરી સુધીમાં ચૂકવવાનું છે.

2016 બાદ પહેલો વધારો
એરટેલ, વોડાફોન આઈડિયા અને જિયોએ ડિસેમ્બરના શરૂઆતમાં ટેરિફ પ્લાન વધાર્યા હતા. જાણકારી મુજબ 2016 બાદ આ પહેલીવાર વધારો થયો હતો. પ્રાઈસ માત્ર પ્રી-પેડ કસ્ટમર્સ માટે વધારવામાં આવ્યા હતા. કુલ યૂઝર્સમાં તેમનો ભાગ 90 ટકાથી વધુ છે. એસબીઆઈ કેપ સિક્યોરિટીઝના રિસર્ચ હેડ મુજબ ત્રણ મહિનાને બદલે જો એક મહિનાનું રિચાર્જ કરાવવામાં આવે તો મોબાઈલ કોસ્ટ 40-50 ટકા મહિને વધશે. જે કંપનીઓ માટે સારું છે કેમ કે તેમને એવરેજ રેવન્યૂ પર યૂઝર વધી જશે.
જ્યારે બીજી તરફ એનાલિસ્ટ્સને ઉમ્મીદ છે કે આગામી બે ક્વાર્ટરમાં વોડાફોન આઈડિયાનો એઆરપીયૂ 107થી વધીને 143 રૂપિયા અને એરટેલનો 128 રૂપિયાથી વધીને 145-150 રૂપિયા થઈ જશે. જિયોના એઆરપીયૂ નાણાકીય વર્ષ 2020ના ચોથા ક્વાર્ટર સુધી 140 રૂપિયાથી વધુ થઈ શકે છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેમનો એઆરપીયૂ 120 રૂપિાય હતો.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
