મોદી સરકારનો વધુ એક મોટો નિર્ણય, રિયલ એસ્ટેટ માટે ફાળવ્યા 25,000 કરોડ
મોદી સરકારે બીજો એક મોટો નિર્ણય લીધો છે. સરકારે રિયલ એસ્ટેટમાં જીવ ફૂંકવા માટે 25,000 કરોડનુ ફંડ નિર્ધારિત કર્યુ છે.
મોદી સરકારે બીજો એક મોટો નિર્ણય લીધો છે. સરકારે રિયલ એસ્ટેટમાં જીવ ફૂંકવા માટે 25,000 કરોડનુ ફંડ નિર્ધારિત કર્યુ છે. સરકારે અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ માટે 10,000 કરોડ રૂપિયાનુ ફંડ આપવાનો નિર્ણય કર્યો છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે રિયલ એસ્ટેટ સેક્ટર માટે મોટા રાહત પેકેજની ઘોષણા કરીને કહ્યુ કેદેશભરમાં અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ માટે સરકાર તરફથી 10 હજાર કરોડ રૂપિયાના ફંડ આપવામાં આવશે. આનો ફાયદો 4.5 લાખ હોમ બાયર્સને મળશે.

4.5 લાખ લોકોને મળશે લાભ
મોદી સરકારે દેશભરમાં અટકી ગયેલા હાઉસિંગ પ્રોજેક્ટ માટે 10,000 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કર્યો છે. આનો લાભ 4.5 લાખ હોમબાયર્સને મળશે. આ ઉપરાંત સરકારે એલઆઈસી હાઉસિંગ અને એસબીઆઈ તરફથી પણ આમાં પૈસા નાખવાની વાત કહી છે. નિર્મલા સીતારમણે કહ્યુ કે રિયલ એશ્ટેટ માટે કુલ ફંડ હાલમાં 25 હજાર કરોડ રૂપિયાનું નિર્ધારિત કરવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે સસ્તુ અનાજ સરળ શરતો પર પૂરુ પાડવામાં આવશે. આનો લાભ અફોર્ડેબલ અને લો કોસ્ટ હાઉસિંગ પ્રોજેક્ટને મળશે.
|
મહત્વના નિર્ણયો પર મ્હોર લાગી
બુધવારે થયેલી કેબિનેટ બેઠકમાં મહત્વના નિર્ણયો પર મ્હોર લાગી. બેઠક બાદ નાણામંત્રીએ માહિતી આપતા કહ્યુ કે સરકાર તરફથી દિલ્લી-એનસીઆર સહિત દેશભરમાં અટકીને પડેલા હાઉસિંગ પ્રોજેક્ટને પૂરા કરવા માટે જલ્દી ફંડ પૂરુ પાડવામાં આવશે. NPA અને NCLT વાળા પ્રોજેક્ટને પણ આ ફંડમાંથી પૈસા મળશશે. આ ઉપરાંત સરકારે અટકી પડેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સને સમયે પૂરા કરવાના હેતુથી ફંડ પૂરુ પાડ્યુ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે લગભગ 1600 હાઉસિંગ પ્રોડેક્ટ્સ અધૂરા પડ્યા છે. વળી, લગભગ 4.58 લાખ હાઉસિંગ યુનિટ બંધ પડ્યા છે.
|
રોજગારી પણ વધશે
વળી,તેમણે કહ્યુ કે રેરા રજિસ્ટર્ડ અધૂરા પ્રોડેક્ટસને પણ ફંડ મળશે. રેરા રજિસ્ટર્ડ 30 ટકા પૂરા પ્રોજેક્ટને ફંડ આપવામાં આવશે. સરકારે ઘર ખરીદવા માટે જરૂરી ફંડ માટે સ્પેશિયલ વિંડો બનાવવાની વાત કહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે રિયલ એસ્ટેટને ફંડ મળવાથી લોકોને માત્ર તેમનુ ઘર મળશે એટલુ જ નહિ પરંતુ રોજગાર વધારવામાં પણ મદદ મળશે.
-
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
