Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

આધાર અંગે લઈને મોદી સરકારનો મોટો નિર્ણય, જાણવું જરૂરી છે

મોદી કેબિનેટ દ્વારા યૂનિક આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે આધાર વિશે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ નાગરિકને આધાર આપવા માટે ફરજ પાડવામાં આવી શકશે નહીં.

મોદી કેબિનેટ દ્વારા યૂનિક આઇડેન્ટિફિકેશન નંબર એટલે કે આધાર વિશે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ નાગરિકને આધાર આપવા માટે ફરજ પાડવામાં આવી શકશે નહીં. મોદી કેબિનેટએ એક મોટો નિર્ણય લીધો છે અને કહ્યું છે કે દેશમાં કોઈપણ વ્યક્તિને આધાર કાર્ડ નંબર આપવાની ના પાડી શકાય છે. સરકારે આધાર કાર્ડ વિશે સ્પષ્ટતા કરી છે કે આધાર કાર્ડને ફરજિયાત કરી શકાશે નહિ.

આ પણ વાંચો: મોદી સરકાર મોટું પગલું ભરી શકે છે, પૈસા ઉપાડવા મોંઘા પડશે

આધાર અંગે મોદી કેબિનેટનો મોટો નિર્ણય

આધાર અંગે મોદી કેબિનેટનો મોટો નિર્ણય

મોદી સરકારે આધાર કાર્ડ અંગેનો નિર્ણય લીધો છે અને કહ્યું છે કે આધાર કાર્ડ નંબર માટે કોઈને પણ ફરજ પાડવામાં આવી શકશે નહીં. કેબિનેટ દ્વારા આધાર અને અન્ય કાયદો (સુધારો) બિલ 2019 મંજૂર કરવામાં આવ્યો છે. આ કાયદાની અંતર્ગત કાયદાકીય સંમતિ સિવાય અન્ય કોઈપણ બાબતમાં આધાર આપવું ફરજિયાત નથી. એટલે, હવે તમને કોઈ પણ જગ્યાએ કોઈ પણ આધાર નંબર આપવા માટે દબાણ કરી શકશે નહિ.

બેંક એકાઉન્ટ્સ અને મોબાઇલ કનેક્શન માટે આધાર ફરજિયાત નથી

બેંક એકાઉન્ટ્સ અને મોબાઇલ કનેક્શન માટે આધાર ફરજિયાત નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ, કેન્દ્રીય કેબિનેટે આધાર અને અન્ય કાયદામાં ફેરફારોને મંજૂરી આપી હતી. સંસદના આગામી સત્રમાં આ ખરડો રજૂ કરવામાં આવશે. આ ખરડાથી નિયામક UIDAI ને લોકોના હિતમાં નિર્ણયો લેવામાં અને આધારના દુરૂપયોગને રોકવા માટે મદદ મળશે. હવે બેંક ખાતું ખોલાવવા માટે આધાર બતાવવું જરૂરી રહેશે નહીં. સાથે સાથે, મોબાઇલ સિમ માટે આધાર આપવાનું ફરજિયાત રહેશે નહિ. લોકો 12-અંકના આધારની જગ્યાએ તેમની ઓળખાણને વર્ચ્યુઅલ આઇડેન્ટિટીથી પણ સાબિત કરી શકશે.

જમ્મુ અને કાશ્મીર આરક્ષણ બિલ મંજૂર

જમ્મુ અને કાશ્મીર આરક્ષણ બિલ મંજૂર

મોદી કેબિનેટે જમ્મુ અને કાશ્મીર આરક્ષણ બિલ, 2019 ને પણ મંજુરી આપી. આ બિલ હેઠળ, સરહદ વિસ્તારોમાં રહેતા નાગરિકોની નોકરી માટે સીધી ભરતી, પ્રમોશન અને કોઈપણ કોર્સમાં પ્રવેશ માટે આરક્ષણ મેળવી શકશે. તેની સાથે જ મોદી કેબિનેટ દ્વારા ઘાટીમાં રાષ્ટ્રપતિ શાસનને 6 મહિના સુધી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X