For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નારાયણ મૂર્તિ ફરી ઇન્પોસિસના એક્ઝિક્યુટિવ ચેરમેન બન્યા

|
Google Oneindia Gujarati News

narayanmurthy
નવી દિલ્હી, 1 જૂન : ભારતની અગ્રણી અને વિશ્વભરમાં પ્રખ્યાત સોફ્ટવેર કંપની ઇન્ફોસિસે શનિવારે એન આર નારાયણમૂર્તિને બોર્ડના એક્ઝિક્યુટિવ ચેરમેન અને એડિશનલ ડાયરેક્ટર બનાવવાનો નિર્ણય કર્યો છે.

આ સાથે કે વી કામથ બોર્ડના ચેરમેનનું પદ છોડી દેશે. તેઓ આજથી તાત્કાલિક અસરથી બોર્ડના ઇન્ડિપેન્ડેન્ટ ડાયરેક્ટર હશે. નારાયણમૂર્તિએ આ પ્રસંગે જણાવ્યું કે આ આમંત્રણ અચાનક અને આશ્ચર્યકારક છે. ઇન્ફોસિસ મારા માટે મારા બાળક સમાન છે આથી જ હું બાકીની તમામ જવાબદારીઓને થોડા સમય માટે હાંસિયા પર ધકેલીને ઇન્ફોસિસને પ્રાથમિકતા આપીશ. તેમણે આ માટે કે વી કામથનો આભાર પણ માન્યો.

ઉલ્લેખનીય છે કે વધતી જતી ઉંમરને કારણે નારાયણમૂર્તિએ પોતાની જવાબદારીઓ ઓછી કરવાનો નિર્ણય કર્યો હતો અને તેના પગલે ગયા વર્ષે ઇન્ફોસિસના ડાયરેક્ટર ચેરમેન પદેથી રાજીનામુ આપ્યું હતું. હવે તેઓ ફરી કંપનીને માર્ગદર્શન પૂરું પાડશે.

English summary
Narayana Murthy returns to Infosys as Executive Chairman
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X