OMG: ATM માંથી લોન પણ મળશે, ઇનકમ ટેક્સ પણ ભરી શકાશે
મોટાભાગના લોકો એટીએમ કાર્ડનો માત્ર એક જ ઉપયોગ જાણતા હોય છે. એટીએમ મશીનની મદદથી રોકડ ઉપાડવી અથવા કાર્ડ સ્વાઇપ કરી શોપિંગ કરવી.
મોટાભાગના લોકો એટીએમ કાર્ડનો માત્ર એક જ ઉપયોગ જાણતા હોય છે. એટીએમ મશીનની મદદથી રોકડ ઉપાડવી અથવા કાર્ડ સ્વાઇપ કરી શોપિંગ કરવી. આપણામાંના મોટાભાગના લોકો આ એટીએમ કાર્ડનો ઉપયોગ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે એટીએમની મદદથી તમે લોન માટે અરજી કરી શકો છો. તમે તમારા ઇનકમ ટેક્સની ચુકવણી કરી શકો છો. ટ્રેન અને ફ્લાઇટ્સની ટિકિટ બુક કરાવી શકો છો, બીલોની ચુકવણી, ફંડ ટ્રાન્સફર વગેરે જેવા ઘણા કામ કરી શકો છો.
આ પણ વાંચો: મિનિમમ બેલેન્સનું કડવું સત્યઃ રોજ વસુલાઈ રહ્યા છે 9 કરોડ રૂપિયા

એટીએમની મદદથી લઇ શકાશે લોન
એટીએમની મદદથી તમે લોન માટે પણ અરજી કરી શકો છો. તમારે વ્યક્તિગત લોનની થોડી રકમ માટે બેંકમાં જવાની જરૂર રહેશે નહીં. તમે એટીએમની મદદથી બેંક ગયા વિના પર્સનલ લોન માટે અરજી કરી શકો છો. દેશમાં એવી ઘણી બેંકો છે કે જેઓ ગ્રાહકોને એટીએમ દ્વારા પૂર્વ-માન્ય વ્યક્તિગત લોન આપે છે. એટીએમની મદદથી તમે લોન માટે અરજી અને એપ્રૂવલ લઇ શકો છો.

ઇનકમ ટેક્સની ચુકવણી કરી શકો છો
તમે ન માત્ર એટીએમમાંથી લોન માટે અરજી કરી શકો છો, પરંતુ તમે એટીએમની મદદથી તમારો ઇનકમ ટેક્સ પણ ચૂકવી શકો છો. ઘણી સરકારી અને ખાનગી બેંકો તેમના ગ્રાહકોને તેમના એટીએમ દ્વારા આ સુવિધા આપે છે. એટીએમ દ્વારા આવકવેરો ભરવા માટે, તમારે બેંકની વેબસાઇટ અથવા શાખામાં જઈને આ માટે નોંધણી કરાવવી પડશે. નોંધણી કરાવ્યા પછી જ તમે તમારો ઇનકમ ટેક્સ એટીએમની મદદથી ચૂકવી શકો છો.

ATM ની મદદથી આ સર્વિસ લઇ શકાશે
તમે એટીએમની મદદથી બીલ ચૂકવી શકો છો. ટ્રેનની ટિકિટ બુક કરાવી શકાય છે. ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) એટીએમ દ્વારા તેમના ગ્રાહકોને ટિકિટ બુક કરવાની સુવિધા આપે છે. જો કે, ફક્ત લાંબા અંતરની રિઝર્વેશન ટિકિટ જ બુક કરાવી શકાય છે. આ ઉપરાંત તમે એટીએમથી ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) ની રકમ જમા કરાવી શકો છો. આ ઉપરાંત, તમે એટીએમની મદદથી તમારા ખાતામાંથી બીજા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
