હવે પારલેમાં 10 હજાર લોકોની નોકરી પર સંકટ
દેશની સૌથી મોટી બિસ્કીટ ઉત્પાદક પારલે પ્રોડક્ટ્સ 8 થી 10 હજાર કર્મચારીઓને છૂટા કરી શકે છે.
દેશની સૌથી મોટી બિસ્કીટ ઉત્પાદક પારલે પ્રોડક્ટ્સ 8 થી 10 હજાર કર્મચારીઓને છૂટા કરી શકે છે. કંપનીએ મંગળવારે કહ્યું હતું કે જો વપરાશમાં ધીમી ગતિ આ રીતે ચાલુ રહેશે તો કંપનીએ કર્મચારીઓને છૂટા કરવા પડશે. કંપનીએ કહ્યું કે આ મંદી એક સંકેત છે કે અર્થતંત્ર પાટા પર નથી.
કંપનીએ જીએસટી ઘટાડવાની માંગ કરી
કંપનીના કેટેગરી હેડ મયંક શાહે જણાવ્યું હતું કે, અમે 100 રૂપિયા પ્રતિ કિલો કે તેથી ઓછા ભાવના બિસ્કિટ પર જીએસટીમાં ઘટાડો કરવાની માંગ કરી છે. આ સામાન્ય રીતે 5 રૂપિયા કે તેથી ઓછા રૂપિયાના પેકમાં વેચાય છે. તેમ છતાં, જો સરકાર અમારી માંગણી નહીં સ્વીકારે તો અમારે 8 થી 10 હજાર કર્મચારીઓને છુટા કરવા પડશે, અમારું મોટું નુકસાન થઈ રહ્યું છે. આપને જણાવી દઈએ કે પારલે-જી, મોનાકો અને મેરી બિસ્કીટ બનાવનારી પારલે કંપની 10,000 કરોડ રૂપિયાથી વધુનું વેચાણ કરે છે.
સુસ્ત માંગથી કંપનીનો કારોબાર પ્રભાવિત
10 પ્લાન્ટ ચલાવનારી કંપની લગભગ એક લાખ કર્મચારીઓને રોજગારી આપે છે. પારલે પાસે 125 થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરિંગ યુનિટ છે. કંપનીના અડધાથી વધુ વેચાણ ગ્રામીણ બજારોમાંથી આવે છે. જીએસટી અમલમાં આવે તે પહેલાં, પ્રતિ કિલો 100 રૂપિયાના બિસ્કીટ પર 12% ટેક્સ લાગતો હતો. કંપની દ્વારા પ્રીમિયમ બિસ્કીટ માટે 12% અને સસ્તા બિસ્કીટ માટે 5% નો જીએસટી રેટ નક્કી કરવાની અપેક્ષા રાખવામાં આવી હતી. જો કે, સરકારે બે વર્ષ પહેલા જીએસટી લાવ્યો હતો, ત્યારે તેણે તમામ બિસ્કીટને 18% સ્લેબમાં મૂક્યા હતા.
10 હજાર કર્મચારીઓની નોકરીઓ પર સંકટ
બ્રિટાનિયાના મેનેજિંગ ડિરેક્ટર વરુણ બેરીએ તાજેતરમાં કહ્યું હતું કે ગ્રાહકો 5 રૂપિયાના બિસ્કીટ પેકેટો ખરીદવામાં ખચકાટ અનુભવે છે. તેઓએ કહ્યું હતું કે તેઓ 5 રૂપિયામાં પણ ઉત્પાદન ખરીદતા પહેલા બે વાર વિચારી રહ્યા છે, જે નાણાકીય સમસ્યાની ગંભીરતા દર્શાવે છે. બેરીએ કહ્યું હતું કે તેમનો વિકાસ માત્ર 6 ટકા હતો, બજારનો વિકાસ પણ સુસ્ત છે.
આ પણ વાંચો: અંડર ગારમેન્ટ્સના વેચાણમાં ઘટાડાનું મંદી સાથે કનેક્શન?