પેટ્રોલ-ડીઝલના ભાવમાં થઇ શકે છે વધારો

મળી રહેલા સમાચાર અનુસાર સરકારે પેટ્રોલ પંપ ડીલરોના કમીશનને વધારવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે પેટ્રોલના ભાવમાં 30 પૈસા અને ડીઝલના ભાવમાં 18 રૂપિયા પ્રતિ લીટર વધારવાની સંભાવના તોળાઇ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓઇલ કંપનીયો પાસેથી કમીશન વધારવાની માગને લઇને ઘણા શહેરોમાં પેટ્રોલ પંપ ગયા અઠવાડિયે માત્ર એક શિફ્ટમાં ખુલ્યા હતા. આ વધારો પેટ્રોલ ડીલરોના કમીશનને વધારી આપવાથી થતા નુકસાનને સરભર કરવા માટે કરવામાં આવી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે સરકારે જૂન, 2010માં પેટ્રોલને ભાવ નિર્ધારણથી મૂક્તિ આપી દીધી હતી જેના પગલે ઓઇલ કંપનીઓને ખપત અનુસાર ભાવ નિર્ધાર કરવાની છૂટ મળી ગઇ હતી. આ પહેલા કંપનીયોએ 8 ઓક્ટોબરે પેટ્રોલના ભાવમાં 56 પૈસાનો ઘટાડો કર્યો હતો.












Click it and Unblock the Notifications
