મિનિમમ બેલેન્સ ન રાખનારા લોકો સામે આ બેન્ક થઇ સખ્ત, 278 કરોડ વસૂલ્યા
પીએનબીએ ગરીબ ખાતા ધારકો પાસેથી 278 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો. જી હા, આપણે તે કહી શકીએ કે બેંક ખાતાઓમાં લઘુત્તમ બેલેન્સનો અભાવ પણ બેંકોની આવક અને નફાનો સ્ત્રોત બની ગયો છે.
પીએનબીએ ગરીબ ખાતા ધારકો પાસેથી 278 કરોડ રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો. જી હા, આપણે તે કહી શકીએ કે બેંક ખાતાઓમાં લઘુત્તમ બેલેન્સનો અભાવ પણ બેંકોની આવક અને નફાનો સ્ત્રોત બની ગયો છે. ખાતામાં લઘુત્તમ બેલેન્સ ન રાખવા બદલ દંડ રૂપે પંજાબ નેશનલ બેંકે નાણાકીય વર્ષ 2018-19માં 278.66 કરોડ રૂપિયા વસૂલ્યા છે. આ રકમ દેશભરના લગભગ 1 કરોડ 27 લાખ ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવી છે.
278.66 કરોડ રૂપિયા પેનલ્ટી તરીકે ખાતાધારકો પાસેથી વસૂલ્યા
માહિતી આપીએ કે મધ્યપ્રદેશના નીમચ જિલ્લાના આરટીઆઈ કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડએ પીએનબી પાસેથી માહિતી માંગી હતી કે છેલ્લા બે વ્યવસાય વર્ષમાં બચત અને ચાલુ ખાતામાં મિનિમમ બેલેન્સ ન હોવાને કારણે કેટલા એકાઉન્ટ ધારકો પાસેથી કેટલી રકમ વસૂલવામાં આવી છે. આવામાં પીએનબી અનુસાર, વ્યવસાય વર્ષ 2018-19માં, પીએનબીએ બેંક ખાતાઓમાં લઘુત્તમ રકમ ન હોવાના દંડ તરીકે ખાતા ધારકો પાસેથી 278.66 કરોડ રૂપિયા વસૂલ્યા હતા. આ રકમ ગયા નાણાકીય વર્ષે વસૂલવામાં આવેલી રકમ કરતા 32 ટકા વધારે છે.
મિનિમમ બેલેન્સ ન હોવાને કારણે રકમ વસુલવામાં આવી
પીએનબી દ્વારા વર્ષ 2018-19 દરમિયાન 1,22,53,756 બચત ખાતામાંથી કુલ રૂ. 226.36 કરોડ અને 5,37,692 ચાલુ ખાતામાંથી કુલ રૂ. 52.30 કરોડ વસૂલ્યા છે દંડ તરીકે વસૂલ્યા છે. આ એકાઉન્ટ્સમાં ઓછામાં ઓછું બેલેન્સ ન હોવાને કારણે આ રકમ વસૂલવામાં આવી. આ રીતે, પીએનબીએ નાણાકીય વર્ષ 2018-19 દરમિયાન લગભગ 1.27 કરોડ ખાતાધારકો (બચત અને ચાલુ) પાસેથી દંડ રૂપે કુલ 278.66 કરોડ રૂપિયા વસૂલ્યા છે.
પેનલ્ટી ચાર્જની વસૂલાત રોકવી જોઈએ
બીજી તરફ, પંજાબ નેશનલ બેંકે નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન ખાતાધારકો પાસેથી દંડ રૂપે 1,22,98,748 બચત ખાતામાંથી કુલ રૂ .151.66 કરોડ અને 5,94,048 ચાલુ ખાતામાંથી રૂ .59.08 કરોડ ખાતામાં ન્યુનતમ બેલેન્સ ન હોવાને કારણે વસૂલ્યા છે. આમ, નાણાકીય વર્ષ 2017-18 દરમ્યાન, ખાતાઓમાં મિનિમમ બેલેન્સ ન જાળવવા બદલ દંડ રૂપે, બેંકે બંને પ્રકારના (બચત અને ચાલુ) લગભગ 1.28 કરોડ ખાતાધારકો પાસેથી કુલ 210.74 કરોડ રૂપિયા દંડ રૂપે વસૂલ્યા. જો કે, ગૌડનું કહેવું છે કે ગ્રાહકના ખાતામાં લઘુત્તમ બેલેન્સની રકમ ન રાખવા બદલ બેંક દ્વારા વસૂલવામાં આવતો દંડ તેની ગરીબી પરનો દંડ છે. તેની તાત્કાલિક સમીક્ષા થવી જોઈએ અને આવા તમામ પેનલ્ટી ચાર્જની વસૂલાત રોકવી જોઈએ.
આ પણ વાંચો: ભારતીય ઓટો સેક્ટર ખરાબ તબક્કા, 4 મહિનામાં 3.5 લાખ નોકરીઓ ગઈ