વિમાન ખરીદી સોદા પર પ્રફુલ્લ પટેલે ઉઠાવ્યો વાંધો!
નવી દિલ્હી, 9 ઓક્ટોબર : ભારે ઉદ્યોગમંત્રી પ્રફુલ્લ પટેલે 3 અરબ રૂપિયાના એક વિમાન ખરીદીના સોદા પર વાંધો ઉઠાવ્યો છે. આ સોદો વાયુસેના દ્વારા કરવામાં આવ્યો હતો. પટેલે પોતાનો વાંધો સુરક્ષા મંત્રી એ.કે. એન્ટનીને પત્ર લખીને વ્યક્ત કર્યો છે.
પટેલની ફરિયાદ છે કે આ ડિલની ટેન્ડર પ્રક્રિયામાં પબ્લિક સેક્ટરની કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે એચએએલને બહાર રાખવામાં આવ્યું, જ્યારે એચએએલમાં આ સોદાને પૂર્ણ કરવાની પૂરેપૂરી ક્ષમતા હતી. પટેલે પોતાની નારાજગી વ્યક્ત કરતો રક્ષામંત્રી એ.કે. એન્ટનીને એક પત્ર પાઠવ્યો છે.

સૂત્રોની માનીએ તો સરકાર આ સેક્ટરમાં ખાનગી કંપનીઓને પણ તક આપવા માગે છે. આ સોદા અંતર્ગત સરકાર વિદેશી કંપની પાસેથી 16 એરક્રાફ્ટ ખરીદવા માગે છે. શરત અનુસાર આ કંપનીએ ભારતની ખાનગી કંપની સાથે મળીને 40 ટકા એરક્રાફ્ટનું નિર્માણ કરવાનું રહેશે.












Click it and Unblock the Notifications
