Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વિમાન ખરીદી સોદા પર પ્રફુલ્લ પટેલે ઉઠાવ્યો વાંધો!

નવી દિલ્હી, 9 ઓક્ટોબર : ભારે ઉદ્યોગમંત્રી પ્રફુલ્લ પટેલે 3 અરબ રૂપિયાના એક વિમાન ખરીદીના સોદા પર વાંધો ઉઠાવ્યો છે. આ સોદો વાયુસેના દ્વારા કરવામાં આવ્યો હતો. પટેલે પોતાનો વાંધો સુરક્ષા મંત્રી એ.કે. એન્ટનીને પત્ર લખીને વ્યક્ત કર્યો છે.

પટેલની ફરિયાદ છે કે આ ડિલની ટેન્ડર પ્રક્રિયામાં પબ્લિક સેક્ટરની કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ એટલે કે એચએએલને બહાર રાખવામાં આવ્યું, જ્યારે એચએએલમાં આ સોદાને પૂર્ણ કરવાની પૂરેપૂરી ક્ષમતા હતી. પટેલે પોતાની નારાજગી વ્યક્ત કરતો રક્ષામંત્રી એ.કે. એન્ટનીને એક પત્ર પાઠવ્યો છે.

aircraft
પટેલે એન્ટનીને લખેલા આ પત્રમાં પૂછ્યું છે કે વિમાન ખરીદીમાં વાયુસેનાએ સાર્વજનિક વિસ્તારની કંપનિઓને શા માટે ટેન્ડરની બહાર રાખી. બીજી બાજું સૂત્રોના જણાવ્યા અનુસાર એચએએલ જેવી કંપનીઓ પર પહેલાથી જ કામનું ભારણ વધારે હોવાના કારણે આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો.

સૂત્રોની માનીએ તો સરકાર આ સેક્ટરમાં ખાનગી કંપનીઓને પણ તક આપવા માગે છે. આ સોદા અંતર્ગત સરકાર વિદેશી કંપની પાસેથી 16 એરક્રાફ્ટ ખરીદવા માગે છે. શરત અનુસાર આ કંપનીએ ભારતની ખાનગી કંપની સાથે મળીને 40 ટકા એરક્રાફ્ટનું નિર્માણ કરવાનું રહેશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X