2015માં PSU બેંકિંગ સ્ટોક્સ આપશે બેસ્ટ રિટર્ન્સ
દેશના વિકાસને ગતિ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં પીએસયુ બેંકોના વડાઓ સાથે બેઠક કરવાના છે. આ બેઠક 2 જાન્યુઆરીથી પુનામાં શરૂ થઇ રહેલી જ્ઞાન સંગમ નામની કાર્યશિબિરનો એક ભાગ હશે. આ બેઠક યોજવાનો હેતુ પીએસયુ બેંકો એટલે કે જાહેર ક્ષેત્રની બેંકોની કામગીરીમાં નવસંચાર લાવવાનો છે. આ નવસંચાર તેની બિનજરૂરી ડેબ્ટ્ને દૂર કરીને લાવવામાં આવશે.
માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે વડાપ્રધાન સાથેની બેઠકમાં ચિંતન મનન કરીને આ દિશામાં એક નક્કર આયોજન શોધવામાં આવશે. આ પ્લાનનો અમલ શરૂ થતા જ આગામી મહિનાઓમાં પીએસયુ બેંકોના શેર્સમાં તેજી જોવા મળે તેવી શક્યતા છે.
સરકાર એ બાબત પર ખાસ ભાર આપી રહી છે કે બેંકોની નોન પરફોર્મિંગ એસેટ નિયંત્રણમાં રહે અને તેમની ક્રેડિટ ડિમાન્ડમાં વધારો થાય.

વર્ષ 2015ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રિઝર્બ બેંક વ્યાજદરો ઘટાડી શકે તેવી પ્રબળ શક્યતાઓ છે. જેના પરિણામસ્વરૂપ પીએસયુ બેંકોને નવજીવન મળશે અને તેમના સ્ટોક્સમાં તેજી જોવા મળી શકે છે. જો વ્યાજદરમાં ઘટાડો થશે તો તેના કારણે પીએસયુ બેંકોનું ફાઇનાન્શિલ પરફોર્મન્સ સુધરવા ઉપરાંત સમગ્ર બેંકિંગ સેક્ટરમાં બિઝનેસની નવી તકો ઝડપી લેવાની ઇચ્છા જાગૃત થશે.
વર્તમાન સમયમાં બેંકિંગ સ્ટોક્સના વેલ્યુએશનની વાત કરીએ તો તે સૌથી વધારે અંડર ઓન્ડ છે. આ માટે સિન્ડિકેટ બેંકનું જ ઉદાહરણ જોઇએ.તેની બુક વેલ્યુ 188 છે પણ તેના સ્ટોક્સ રૂપિયા 128.45ની આસપાસ ટ્રેડ થઇ રહ્યા છે.જો આપ સ્ટોક ખરીદશો તો તેનું વળતર માત્ર 5 ટકા છે.
સિન્ડિકેટ બેંકની જેમ અન્ય પીએસયુ બેંકના સ્ટોક્સની સ્થિતિ પણ નબળી છે. જો કે આગામી સયમાં બેથી ત્રણ વર્ષના રોકાણ ટાર્ગેટ માટે બેંક શેર્સ બેસ્ટ ઓપ્શન બની રહેશે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
