For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBIએ મૌદ્રિક નીતિનુ કર્યુ એલાન, રેપો રેટમાં કોઈ ફેરફાર નહિ

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા આજે 10 વાગે પ્રેસ કૉન્ફરન્સ કરશે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્રન શક્તિકાંત દાસે પ્રેસ કૉન્ફરન્સ કરીને આરબીઆઈની મૌદ્રિક નીતિનુ એલાન કર્યુ. પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન શક્તિકાંત દાસે કહ્યુ કે મૉનિટરી પૉલિસી કમિટીએ એકમતથી રેપો રેટના દરને પૂર્વના 4 ટકાના દર પર રાખવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિુયાએ નવી મૌદ્રિક નીતિ કમિટીની રચના કરી છે જેણે બુધવારે ત્રણ દિવસની પોતાની બેઠક શરૂ કરી હતી. એવુ માનવામાં આવી રહ્યુ છે કે આજના એલાનમાં વ્યાજના દરોમાં ઘટાડો કરવામાં આવી શકે છે જેથી મોંઘવારીની મારથી લોકોને રાહત મળી શકે.

hsaktikant das

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા તરફથી પણ ટ્વિટ કરીને આ બાબતે માહિતી આપવામાં આવી છે. શુક્રવારે સવારે 10 વાગે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ મૌદ્રિક નીતિનુ એલાન કરશે. આરબીઆઈ સામે સૌથી મોટો પડકાર આ વખતે એ છે કે કોરોના સંકટમાં ભારે આર્થિક નુકશાન સહન કરી રહેલા સેક્ટર્સને કઈ રીતે લેંડિંગ રેટમાં ફેરફાર કરીને રાહત આપવામાં આવે, સાથે જ લોકોની મોંઘવારીની મારને ઘટાડી શકાય. વિશ્લેષકોનુ માનવુ છે કે અર્થવ્યવસ્થામાં લિક્વિડિટીને જાળવી રાખવાની જરૂર છે માટે આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કરવો જોઈએ જેથી વ્યાજદરોમાં ઘટાડો આવી શકે અને લોકોની ઈએમઆઈ ઘટી શકે.

સના ખાને છોડી ફિલ્મ ઈન્ડસ્ટ્રી, ઈસ્લામ ધર્મને બનાવ્યો આધારસના ખાને છોડી ફિલ્મ ઈન્ડસ્ટ્રી, ઈસ્લામ ધર્મને બનાવ્યો આધાર

English summary
RBI Shaktikanta Das address press conference, announce monetary policy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X