નોટબંધીને કારણે અર્થવ્યવસ્થા પર અસર તો પડી છે: આરબીઆઇ ગવર્નર
આર્થિક મામલાની સંસદીય સ્થાયી સમિતિ સામે આરબીઆઇ ગવર્નર ઊર્જિત પટેલે માન્યું કે નોટબંધીને કારણે અર્થવ્યવસ્થા પર પ્રભાવ પડ્યો છે.
આર્થિક મામલાની સંસદીય સ્થાયી સમિતિ સામે આરબીઆઇ ગવર્નર ઊર્જિત પટેલે માન્યું કે નોટબંધીને કારણે અર્થવ્યવસ્થા પર પ્રભાવ પડ્યો છે. પરંતુ તેમને એવું પણ કહ્યું છે કે તે ખુબ લાબું નહીં ચાલ્યું અને હવે દેશની ઇકોનોમીની ગ્રોથ સારી છે. ઊર્જિત પટેલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ક્રેડિટ ગ્રોથ 15 ટકા છે. રિઝર્વ બેન્કના ગવર્નર ઊર્જિત પટેલે મંગળવારે સંસદીય સ્થાયી સમિતિ સામે હાજર થયા હતા. સમિતિ ઘ્વારા તેમને નોટબંધી, એનપીએ, આરબીઆઇ અને સરકાર વચ્ચે તણાવ અને અર્થવ્યવસ્થાના પડકાર અંગે સવાલો કર્યા.
આ પણ વાંચો: નોટબંધીથી સર્જાયેલ આર્થિક કટોકટીના નામે કોંગ્રેસે રાજ્યભરમાં દેખાવો કર્યો

એક કલાક કરતા પણ વધારે સમય સમિતિ સામે રહ્યા
સમિતિએ એક કલાક કરતા પણ વધારે સમય સુધી ઊર્જિત પટેલને સવાલ જવાબ કર્યા. આ દરમિયાન ઊર્જિત પટેલે કેન્દ્રં સરકાર સાથે ચાલી રહેલા કોઈ પણ વિવાદિત મુદ્દે વાત નહીં કરી. અર્થવ્યવસ્થા સ્થિતિ પર તેમને સવાલોના જવાબ આપ્યા. ઊર્જિત પટેલે વિવાદિત સવાલોના કોઈ જ જવાબ નહીં આપ્યા. તેમને આશ્વાશન આપ્યું કે તેઓ 10 થી 15 દિવસમાં લિખિતમાં તેમનો જવાબ આપશે.

બેંક પાસે રિઝર્વ કરન્સી મુશ્કિલ સમય માટે
આરબીઆઇ ગવર્નર ઘ્વારા જણાવવામાં આવ્યું કે બેંક પાસે હાલમાં કરન્સી રીઝવનું જે સ્તર છે તે આંતરરાષ્ટ્રીય અસ્થિરતાને ધ્યાનમાં રાખતા દેવું આપવાની ક્ષમતાને જાળવી રાખવા માટે જરૂરી છે. આ રિઝર્વ મુશ્કિલ સ્થતિમાં ઉપયોગ કરવા માટે છે, સામાન્ય સ્થિતિમાં વાપરવા માટે નથી. ઊર્જિત પટેલ ઘ્વારા જણાવવામાં આવ્યું કે અર્થવ્યવસ્થાની બુનિયાદ મજબૂત છે અને તેલની કિંમત નીચે આવવાને કારણે તેને વધારે મજબૂતી મળશે.

ઘણા સવાલોના જવાબ નહીં આપ્યા
સાંસદ એમ વીરપ્પા મોઈલીની અધ્યક્ષતાવાળી 31 સંસદીય સમિતિ સામે ઊર્જિત પટેલે આરબીઆઇ કાનૂન ધારા 7 ઉપયોગ, ફસાયેલું દેવું, કેન્દ્રીય બેન્કની સ્વાયત્તતા અને બીજા ઘણા મુદ્દાઓ પર કઈ જ નહીં કહ્યું. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ પણ આ સમિતિમાં હતા
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન










Click it and Unblock the Notifications
