RBI Report: કેન્દ્રીય બેંકોના આકસ્મિક ભંડોળમાં બચ્યા માત્ર 1.96 લાખ કરોડ રૂપિયા

RBI Report: કેન્દ્રીય બેંકોના આકસ્મિક ભંડોળમાં બચ્યા માત્ર 1.96 લાખ કરોડ રૂપિયા

નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેંકે વર્ષ 2019નો પોતાનો વાર્ષિક રિપોર્ટ જાહેર કરી દીધો છે. આ રિપોર્ટ મુજબ બેંકોમાં છેતરપિંડીના મામલામાં વધારો થયો છે. આરબીઆઈના રિપોર્ટ મુજબ ચલણમાં હાલ મુદ્રાની ટકાવારી વધીને 21.10 લાખ કરોડ પર પહોંચી ગઈ છે.

rbi

રિપોર્ટ મુજબ બેંક કપટના મામલા વધ્યા છે. RBIના રિપોર્ટ મુજબ વર્ષ 2019એ 71000 કરોડ રૂપિયાથી વધુ બેંકિંગ છેતરપિંડી સામે આવી છે. અત્યાર સુધીમાં 6801 બેંક કપટના મામલા સામે આવી ચૂક્યા છે. રિપોર્ટ મુજબ એનબીએફસીથી વાણિજ્યિક ક્ષેત્રને મળતી લોન ફ્લોમાં 20 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.

આ રિપોર્ટ મુજબ દેશમાં પાછલા વર્ષે કપટના મામલામાં વાર્ષિક આધાર પર 15 ટકાનો વધારો થયો છે. વર્ષ 2018-19માં બેંકોમાં કપટના 6801 મામલા સામે આવ્યા છે. આ મામલાઓમાં 71542.93 કરોડ રૂપિયાનું કપટ થયું. રિઝર્વ બેંકો દ્વારા સરકારને 1.76 લાખ કરોડ આપ્યા બાદ આરબીઆઈના આકસ્મિક ભંડારમાં 1,96,344 કરોડ રૂપિયાની રાશિ બચી છે. જો પાછલા વર્ષે આ અવધિમાં 2,32,108 કરોડ રૂપિયા પર હતું.

ઉમ્મીદ કરવામાં આવી રહી છે કે આરબીઆઈને અતિરિક્ત પૂંજીના રૂપમાં એક લાખથી વધુ હસ્તાંતરિત કરવા પડી શકે છે. આની સાથે જ ખેડૂત લોન માફી, આવક સમર્થન સરકારી યોજનાઓને પગલે રાજ્યોની નાણાકીય પ્રોત્સાહનની ક્ષમતા ઘટી છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ઘરેલૂ માંગ ઘટવાથી આર્થિક ગતિવિધિઓ સુસ્ત પડી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશ અને અર્થવ્યવસ્થાની સ્પીડ આપવા માટે ખાનગી રોકાણ વધાવાની જરૂરત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X