For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિઝર્વ બેન્ક ટૂંકમાં વ્યાજદરની સમીક્ષા કરશે

|
Google Oneindia Gujarati News

rbi
નવી દિલ્હી, 1 ઓક્ટોબર : કેન્દ્રીય નાણાં મંત્રાલયમાં ઈકોનોમિક અફેર્સના સેક્રેટરી અરવિંદ માયારામે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે દેશનું અર્થતંત્ર ચાલુ નાણાકીય વર્ષના બીજા ક્વાર્ટરમાં સુધરશે અને વિકાસને વેગ આપે તેવા પગલાં લેવામાં આવશે. આ કારણે ભારતીય રિઝર્વ બેન્ક વ્યાજના દરો અંગે સમીક્ષા પણ કરશે.

માયારામે નવી દિલ્હીમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં કહ્યું કે આપણું અર્થતંત્ર ફરી વિકાસના માર્ગ પર આવી રહ્યું છે. મને વિશ્વાસ છે કે આ સ્થિતિ ચાલુ રહેશે અને વિકાસનો વેગ વધશે. ચાલુ વર્ષના એપ્રિલ જૂનના પ્રથમ ક્વાર્ટરમાં અર્થતંત્રએ 4.4 ટકાનો દર નોંધાવ્યો હતો જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી નીચો છે.

માયારામનું કહેવું છે કે પહેલા ક્વાર્ટર કરતાં બીજા ક્વાર્ટરમાં જીડીપી વિકાસ વધારે સારો રહેવો જોઈએ. આર્થિક વિકાસને વેગ આપવો તે કેન્દ્ર સરકારનું વલણ રહ્યું છે. જ્યાં સુધી વ્યાજના દરોને લાગેવળગે છે, આરબીઆઈ અને તેના ગવર્નર તે વિશે જરૂરી નિર્ણય લેશે. આરબીઆઈ દ્વિતીય ક્વાર્ટરની નીતિ સમીક્ષા 29 ઓક્ટોબરે કરવાની છે.

English summary
Reserve Bank will review interest rate soon
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X