For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આર્થિક સંકટનું નિરાકરણ સરકારની પ્રાથમિકતા : PM

|
Google Oneindia Gujarati News

prime-minister
નવી દિલ્હી, 27 ડિસેમ્બર : નવી દિલ્હીમાં ગુરુવારે મળેલી રાષ્ટ્રીય વિકાસ પરિષદની બેઠકમાં વડાપ્રધાન મનમોહન સિંહે સતત વિકાસ પ્રાપ્ત કરવાનો દેશની સામે પડકાર હોવાનું જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે દેશને મુશ્કેલ આર્થિક સ્થિતિઓમાંથી બહાર કાઢવો અમારી પ્રાથમિકતા છે.

વડાપ્રધાને જણાવ્યું કે 12મી પંચવર્ષીય યોજનામાં 8 ટકાનો વૃદ્ધિદર મેળવવો અમારી મહત્વકાંક્ષા છે. વર્ષ 2004 બાદ ગરીબીમાં પ્રતિ વર્ષ 2 ટકાના દરે ઝડપી ઘટાડો થયો છે. આર્થિક મંદીને કારણે દેશના વિકાસ દરમાં ઘટાડો થયો છે. સબસિડીમાં વધારે કાપ મુકવાની જરૂર છે.

તેમણે જણાવ્યું કે વર્તમાનમાં આપણે એવી સ્થિતિમાં પહોંચ્યા છીએ જ્યાં બીમાર રાજ્ય શબ્દ ઇતિહાસ બની જશે. જીએસટીને ઝડપથી લાગુ કરવામાં આવશે. 12મી પંચવર્ષીય યોજના માટે આર્થિક વ્યવસ્થા ગોઠવવા માટેના પ્રયાસોને સુદ્રઢ કરવાની જરૂર છે. ઉર્જાની કિંમતોમાં તબક્કાવાર વધારો કરવાની જરૂર છે. સબસિડીને યોગ્ય રીતે ફાળવવી જોઇએ.

વડાપ્રધાને પોતાના સંબોધનમાં એ પણ જણાવ્યું કે મહિલાઓની સુરક્ષા માટે સરકારે વર્તમાન કાયદાઓની સમીક્ષા કરવાની અને મહિલાઓ સામેના ગંભીર અપરાધોમાં દંડના સ્તરની સમીક્ષા કરવાનો નિર્ણય કર્યો છે.

English summary
Resolve difficult economic situation is priority for government : PM
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X