Rupees 2000 Notes Exchange : જલ્દી બદલી લો 2000 રૂપિયાની નોટ, નહીં તો...
Rupees 2000 Notes Exchange : દેશની કેન્દ્રીય બેંક દ્વારા 2000 રૂપિયાના નોટને સર્ક્યુલરમાં લેવા અને ચલણમાંથી બહાર કરવાની જાહેરાત કરી છે. 2000 રૂપિયાની નોટને બેંકમાં જમા કરવા માટે આરબીઆઇ દ્વારા 30 સપ્ટેમ્બર, 2023 સુધી સમય આપવામાં આવ્યો હતો. હવે 2000 રૂપિયાની નોટને જમા કરવા માટે એક અઠવાડિયા કરતા પણ ઓછો સમય બચ્યો છે.
આવી સ્થિતિમાં જો તમે હજુ સુધી 2,000 રૂપિયાની નોટ બેંકમાં જમા કરાવી નથી, તો તમારે આ કાર્ય જલદીથી પૂર્ણ કરવું જોઈએ. તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે, બેંકમાં જતા પહેલા, તમારે એક વખત બેંકની રજાઓની સૂચિ તપાસવી આવશ્યક છે. જો તમે આવું ન કરો તો તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે, 2000 રૂપિયાની નોટ નવેમ્બર 2016થી ચલણમાં લાવવામાં આવી હતી. તમને યાદ હશે કે, 2016માં જ રૂપિયા 500 અને રૂપિયા 1000ની નોટો બંધ કરવામાં આવી હતી. 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર 2023 પછી માન્ય રહેશે નહીં. તમારે બેંકની રજાઓને ધ્યાનમાં રાખીને નોટો બદલવા અથવા જમા કરાવવા જવું જોઈએ.
આ દિવસે બેંકો બંધ રહેશે
- ગુવાહાટી અને રાંચીની બેંક 25 સપ્ટેમ્બર 2023 ના રોજ કર્મ પૂજાના અવસર પર બંધ રહેશે
- જમ્મુ, કોચી, શ્રીનગર, તિરુવનંતપુરમમાં 27 સપ્ટેમ્બર 2023ના રોજ મિલાદ-એ-શરીફ (પયગંબર મોહમ્મદના જન્મદિવસ)ના અવસર પર બેંક બંધ રહેશે
- 28 સપ્ટેમ્બર 2023ના રોજ ઈદ-એ-મિલાદ અથવા ઈદ-એ-મિલાદુન્નબીના અવસર પર, અમદાવાદ, આઈઝોલ, બેલાપુર, બેંગ્લોર, ચેન્નાઈ, દેહરાદૂન, હૈદરાબાદ, ઈમ્ફાલ, કાનપુર, લખનઉ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, રાયપુરની બેંક , રાંચી. બંધ રહેશે.
- 29 સપ્ટેમ્બર 2023ના રોજ ઈદ-એ-મિલાદ-ઉલ-નબીના અવસર પર ગંગટોક, જમ્મુ, શ્રીનગરની બેંક બંધ રહેશે
કેવી રીતે બદલશો 2000 રૂપિયાની નોટ - લોકો તેમના બેંક ખાતામાં 2000 રૂપિયાની નોટ જમા કરાવી શકે છે. આ સિવાય તે કોઈપણ બેંકની શાખામાં જઈને નોટો બદલી શકે છે. RBI સહિત દેશની તમામ બેંકમાં નોટ એક્સચેન્જની સુવિધા ઉપલબ્ધ છે. બેંક ખાતામાં રૂપિયા 2,000ની નોટ જમા કરાવવા માટે KYC ફોર્મની જરૂર પડી શકે છે.












Click it and Unblock the Notifications
