એસબીઆઇ ખાતાધારકોને ઝાટકો, બચત ખાતું, એફડી પર મળશે ઓછું વ્યાજ
ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) એ બચત ખાતા પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બચત ખાતામાં જમા કરાયેલા 1 લાખ રૂપિયા પર બેંક 3.50 ટકાને બદલે 3.25 ટકા વ્યાજ ચૂકવશે.
ભારતીય સ્ટેટ બેંક (એસબીઆઈ) એ બચત ખાતા પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. બચત ખાતામાં જમા કરાયેલા 1 લાખ રૂપિયા પર બેંક 3.50 ટકાને બદલે 3.25 ટકા વ્યાજ ચૂકવશે. નવા વ્યાજ દર 1 નવેમ્બર 2019 થી લાગુ થશે. દેશની સૌથી મોટી સરકારી બેંક, એસબીઆઈના આ નિર્ણયની અસર લગભગ 42 કરોડ ગ્રાહકોને થશે.

એફડી પર પણ વ્યાજ ઘટાડ્યું
એસબીઆઇએ રિટેલ ટર્મ ડિપોઝિટ (એફડી) અને બલ્ક ટર્મ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં પણ ફેરફાર કર્યો છે. બેંકે રિટેલ ડિપોઝિટ પર 0.10 ટકા અને બલ્ક ડિપોઝિટ પર 0.30 ટકા દરમાં ઘટાડો કર્યો છે. એટલે કે, રિટેલ ડિપોઝિટમાં 10 બેસિસ પોઇન્ટ અને બલ્ક ટર્મ ડિપોઝિટમાં 30 બેસિસ પોઇન્ટનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ ટર્મ ડિપોઝિટની મુદત 1 વર્ષથી વધુ અને 2 વર્ષથી ઓછી હશે. આ વ્યાજ દર 10 ઓક્ટોબરથી અમલમાં આવી રહ્યો છે.

એસબીઆઇ લોન કરી સસ્તી
એસબીઆઈએ હોમ, ઑટો અને પર્સનલ લોન પર એમસીએલઆરના દર ઘટાડવાની જાહેરાત કરી છે. એમસીએલઆરના દરોમાં 0.10 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. નવા દરો 10 ઓક્ટોબરથી લાગુ થશે. એસબીઆઇએ જણાવ્યું છે કે, તહેવારના અવસરે ગ્રાહકોને ફાયદો પહોંચાડવા માટે બેંકે તમામ સમયગાળા માટે એમસીએલઆર દરમાં 0.10 ટકાનો ઘટાડો કર્યો છે.

એસબીઆઈ જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક છે
એસબીઆઈ જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક છે. હોમ અને ઑટો લોનમાં એસબીઆઈનો માર્કેટ શેર 35 અને 36 ટકા છે. દેશમાં બેંકની 22 હજારથી વધુ શાખાઓ છે. એસબીઆઈની અન્ય બેંકોની તુલનામાં ફેસબુક, યુ ટ્યુબ પર પણ ફોલોઅર્સ સૌથી વધુ છે.
આ પણ વાંચો: સોના મામલે ભારત ટોપ 10 દેશની યાદીમાં, જાણો કેટલું છે સોનું
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર












Click it and Unblock the Notifications
